Western Times News

Gujarati News

અનાયરા તેના ભાઈ માટે પ્રોટેક્ટિવ છે: કપિલ શર્મા

મુંબઈ, એક્ટર અને કોમેડિયન કપિલ શર્મા અને પત્ની ગિન્ની ચતરથ અનાયરા અને ત્રિશાન એમ બે બાળકોના માતા-પિતા છે. એક્ટર ઘણીવાર બાળકો સાથેની તસવીરો શેર કરતો રહે છે.

બીજી ફેબ્રુઆરીએ તેનો દીકરા ત્રિશાન એક વર્ષનો થતાં તેણે ફોટોશૂટની કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી. બાળકો સાથે કેવી રીતે સમય પસાર કરે છે તેમ પૂછતાં કપિલ શર્માએ કહ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓથી તો હું સતત શૂટિંગ કરી રહ્યો છું.

તેમની સાથે પસાર કરવા માટે થોડો સમય મળે છે, પરંતુ હું ઘરે પરત ફરું ત્યાં સુધીમાં તેઓ ઝડપથી ઊંઘી જાય છે. ત્રિશાન હાલમાં જ એક વર્ષનો થયો છે અને હું તેની સાથે આખો દિવસ પસાર કરવા માગતો હતો. પરંતુ મારી પત્ની ગિન્નીએ તેની સાથે ફોટોશૂટનું પ્લાનિંગ કર્યું હતું.

જેના લીધે મારો આખો દિવસ તૈયાર થવામાં એને તસવીરો માટે પોઝ આપવામાં ગયો હતો. જ્યારે અનાયરા એક વર્ષની થઈ ત્યારે તેના માટે પણ ફોટોશૂટ કરાવ્યું હતું. તેથી જાે ત્રિશાન માટે નહીં કરાવીએ અને જ્યારે તે મોટો થશે અને તેના પહેલા બર્થ ડેની તસવીરો નહીં જુએ તો ઉદાસ થઈ શકે છે તે વાતનો અહેસાસ અમને થયો હતો. મહામારીના કારણે અમે બર્થ ડે સેલિબ્રેટ કરી શક્યા નહોતા.

તેથી, અમે માત્ર ફોટોશૂટ કરાવ્યું હતું. અનાયરા તેના ભાઈ ત્રિશાન પ્રત્યે કેટલી પ્રોટેક્ટિવ છે તેમ પૂછતાં, કપિલ શર્માએ કહ્યું હતું કે, ‘અનાયરા તેના ભાઈ માટે પ્રોટેક્ટિવ છે. એકબીજા સાથે ઝઘડો કરવા માટે તેઓ ખૂબ નાના છે. તે હંમેશા કહેતી રહી છે કે ‘તે મારો રેબિટ છે’.

ત્રિશાન ભાગ્યે જ કોઈ વાત સમજે છે અને તેને તેના રમકડા સાથે રમવામાં મજા આવે છે. તેના બર્થ પર હું કોઈ ખાસ ગિફ્ટ લાવ્યો નહોતો કારણ કે, તેની પાસે પહેલાથી જ ઘણા રમકડા છે’, તેમ કપિલ શર્માએ ઉમેર્યું હતું. કપિલ શર્માએ અનાયરા જ્યારે તેને ટીવી પર જુએ ત્યારે કેવું રિએક્શન હોય છે તેના વિશે પણ વાત કરી હતી.

તેણે કહ્યું હતું ‘અનાયરા ટીવી વિશે વધારે સમજતી નથી. તે મારા શો જાેતી રહે છે અને કહે છે ‘પપ્પા ટીવી પર છે. તેમા શું મોટી વાત છે. હું પણ ટીવી પર છું’. તે આવું એટલા માટે કહે છે કારણ કે, મારી પત્ની તેની સાથે વીડિયો બનાવતી રહે છે અને સોશિયલ મીડિયા પર અપલોડ કરતી રહે છે. જ્યારે તે ફોન જુએ છે ત્યારે તેને લાગે છે કે તે ટીવી પર છે. અમે આ બાબત પર હસીએ છીએ.

મારા બાળકો સાથે સમય પસાર કરવામાં મજા આવે છે. તેઓ મારી દુનિયા છે. આખો દિવસ તેનું ચાલ્યા કરે છે. શું દીકરા કે દીકરી પ્રત્યે ભેદભાવ રાખે છે, તેમ પૂછતાં કપિલે કહ્યું હતું કે, ‘મારા બંને બાળકોને સરખો પ્રેમ કરું છું, પરંતુ મારી પત્ની ગિન્નીને લાગે છે કે હું અનાયરાને વધારે પ્રેમ કરું છું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.