Western Times News

Gujarati News

ભારતના ફાસ્ટ બોલર એસ.શ્રીસંતે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

મુંબઇ, ભારતના ફાસ્ટ બોલર એસ. શ્રીસંતે ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તેણે ટિ્‌વટર પર આ માહિતી આપી હતી. ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિનો અર્થ એ છે કે ટીમ ઈન્ડિયામાં તેની વાપસીના તમામ રસ્તાઓ બંધ છે.

શ્રીસંતે ૧૧ વર્ષ પહેલા ભારત માટે છેલ્લી મેચ રમી હતી. ૨૦૧૩માં મેચ ફિક્સિંગમાં ફસાયા બાદ તેની કારકિર્દી બરબાદ થઈ ગઈ હતી. ગયા વર્ષે તેણે ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરી હતી, પરંતુ આઇપીએલ માટે પણ તેની પસંદગી કરવામાં આવી ન હતી. શ્રીસંત ક્રિકેટ એકેડમી ખોલવાની યોજના ધરાવે છે. તેઓ વિદેશી લીગમાં પણ રમવા માંગે છે.

શ્રીસંતે ટિ્‌વટર પર લખ્યું- યુવા ખેલાડીઓની ખાતર મેં મારી ડોમેસ્ટિક ક્રિકેટ કારકિર્દી ખતમ કરવાનો ર્નિણય લીધો છે. આ ર્નિણય ફક્ત મારો છે. હું જાણું છું કે તે મને ખુશ નહીં કરે, પરંતુ ર્નિણય લેવાનો આ યોગ્ય સમય છે. મેં ક્રિકેટના મેદાન પર દરેક ક્ષણને યાદગાર બનાવી છે. તેને સાચવી રાખ્યું છે. મારા પરિવાર, મારા સાથીદારો અને ભારતના લોકોનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સન્માનની વાત છે.

શ્રીસંતની કારકિર્દી પર નજર કરીએ તો, તેણે ૨૫ ઓક્ટોબર ૨૦૦૫ના રોજ નાગપુરમાં શ્રીલંકા સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી, ૧ માર્ચ, ૨૦૦૬ ના રોજ, નાગપુરમાં જ ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ રમાઈ હતી. ૧ ડિસેમ્બર ૨૦૦૬ના રોજ, તેને જાેહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટી ૨૦ રમવાની તક મળી. શ્રીસંતે ૨૭ ટેસ્ટમાં ૮૭ વિકેટ લીધી હતી. તેણે ત્રણ વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી હતી.

વનડેમાં શ્રીસંતના રેકોર્ડ પર નજર કરીએ તો તેણે ૫૩ મેચમાં ૭૫ વિકેટ ઝડપી હતી. એકવાર મેચમાં પાંચ વિકેટ લીધી હતી. આ સાથે જ શ્રીસંતે ૧૦ ટી ૨૦ મેચમાં સાત વિકેટ ઝડપી હતી. તેણે ૪૪ આઇપીએલ મેચમાં ૪૦ વિકેટ ઝડપી છે.

ત્રણેય ફોર્મેટમાં ભારત માટે તેની છેલ્લી મેચ વિશે વાત કરીએ તો, છેલ્લી ટેસ્ટ મેચ ૨૦૧૧માં ઈંગ્લેન્ડ સામે ધ ઓવલ ખાતે રમાઈ હતી, તે જ વર્ષે મુંબઈમાં શ્રીલંકા સામે છેલ્લી વનડે અને ૨૦૦૮માં ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં છેલ્લી ટી ૨૦ રમાઈ હતી. શ્રીસંત ૨૦૧૧માં વર્લ્‌ડ કપ જીતનાર ટીમનો સભ્ય હતો. તેણે શ્રીલંકા સામે ફાઈનલ પણ રમી હતી. તે તેની છેલ્લી વનડે મેચ સાબિત થઈ.

૭૪ ફર્સ્‌ટ ક્લાસ મેચમાં શ્રીસંતે ૨૧૩ વિકેટ લીધી હતી. તાજેતરમાં તેને નવ વર્ષ બાદ સફળતા મળી છે. આ સિવાય તેણે ૯૨ લિસ્ટ-છ મેચમાં ૧૨૪ વિકેટ અને ૬૫ ટી ૨૦ મેચમાં ૫૪ વિકેટ ઝડપી હતી. તેણે ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ મેઘાલય સામે રણજી મેચ રમી હતી. જે તેની છેલ્લી હોમ મેચ સાબિત થઈ. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તેણે વિજય હજારે ટ્રોફીમાં ભાગ લીધો હતો.

મેચ ફિક્સિંગના આરોપોને કારણે ૨૦૧૩માં બીસીસીઆઇ દ્વારા તેના પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સ્પેશિયલ કોર્ટે ૨૦૧૫માં શ્રીસંતને તમામ આરોપોમાંથી મુક્ત કરી દીધો હતો. આ પછી, ૨૦૧૮ માં કેરળ હાઈકોર્ટ દ્વારા તેના પર લાદવામાં આવેલા તમામ પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા હતા. જાે કે, બાદમાં હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે આ પ્રતિબંધ પુનઃસ્થાપિત કર્યો હતો.

આ પછી શ્રીસંતે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે તેનો ગુનો માન્ય રાખ્યો હતો. બીસીસીઆઈને સજા ઘટાડવાની ભલામણ કરવામાં આવી હતી. ઓગસ્ટ ૨૦૧૯ માં, બીસીસીઆઇ લોકપાલ ડીકે જૈને આજીવન પ્રતિબંધ ઘટાડીને ૭ વર્ષ કર્યો. જે સપ્ટેમ્બર ૨૦૨૦માં સમાપ્ત થઈ ગઈ હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.