Western Times News

Gujarati News

મુનવ્વર રાણાની તબિયત બગડી, બીજેપી જીતે તો યૂપી છોડવાની જાહેરાત કરી હતી

લખનૌ, ઉત્તર પ્રદેશ ચૂંટણી ૨૦૨૨માં ભારતીય જનતા પાર્ટીની જીત થવા પર ઉત્તર પ્રદેશ છોડીને ચાલ્યા જવાની જાહેરાત કરનારા પ્રસિદ્ધ શાયર મુન્નવર રાણાની તબિયત બગડી છે. યૂપી ચૂંટણીના પરિણામ પહેલા જ મુન્નવર રાણાની તબિયત બગડી છે.ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે એવા સમયે મુન્નવર રાણાએ પોતાના નિવેદનને લઈને કંઈ પણ કહેવાન ઇન્કાર કરી દીધો છે. એવું કહેવામાં આવે છે કે તેમની તબિયત છેલ્લા ત્રણ દિવસથી ખરાબ છે. તેઓ ઘરે જ પોતાની સારવાર કરાવી રહ્યા છે.

ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે ત્યારે એ જાણવું જરૂરી રહેશે કે શું તેઓ ખરેખર ઉત્તર પ્રદેશ છોડીને ચાલ્યા જશે? જાેકે, મીડિયાકર્મીઓએ જ્યારે આ નિવેદન મામલે તેમનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો. ગત દિવસોમાં તેમણે જાહેરમાં એવું નિવેદન કર્યું હતું કે ઉત્તર પ્રદેશમાં જાે ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તો તેઓ રાજ્ય છોડી દેશે.

પ્રસિદ્ધ શાયર મુન્નવાર રાણાએ એક નિવેદમાં કહ્યુ હતુ કે, પાંચ વર્ષ તો આપણે બચી ગયા છીએ, જાે આગામી પાંચ વર્ષમાં પણ યોગી આવી જશે તો આપણ જીવતા નહીં રહીએ. મરવાનું તો છે જ પરંતુ કમોતે નથી મરવા માંગતા. બીજેપીના નેતાઓ પલાયન કરનારાઓને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં શોધી રહ્યા છે, પરંતુ હું અહીં પલાયન કરવા માટે બેઠો છું. મને કોઈ નથી મળી રહ્યું. હું આ જ દેશમાં રહીશ, એ લોકો બીજા હતા, જેઓ કરાંચી ચાલ્યા ગયા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.