Western Times News

Gujarati News

બુલડોઝર ફેરવવું હોય તો ભાજપ હેડકવાર્ટસ પર ફેરવોઃ મનીષ સિસોદીયા

નવીદિલ્હી, દિલ્હીમાં રામનવમીના દિવસે જહાંગીરપુરીમાં જે હિંસા ભડકી અને હિંસક અથડામણો થઇ તેનો ઉકેલ શોધવાને બદલે રાજકારણ વધારે ગરમાઇ રહ્યું છે. AAP BJP પર આરોપો લગાવી રહી છે અને BJP AAP પર આરોપો લગાવી રહ્યું છે.

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ એક પ્રેસ કોન્ફરન્સમાં BJP પર આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ જ દેશમાં રમખાણ કરાવી રહી છે. ભાજપે જ રોહિંગ્યાઓને વસાવ્યા છે. સિસોદીયાએ કહ્યું કે, દેશમાં ગુંડાગીરી રોકવા માટે ભાજપ હેડક્વાર્ટર પર જ બુલડોઝર ચલાવવું જાેઇએ.

નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી ક્યારેય રોજગાર આપવા, મોંઘવારી ઘટાડવાની વાત કરતી નથી. પાર્ટી માત્ર ગુંડાગીરીની જ વાત કરતી હોય તેવું લાગી રહ્યું છે.

ભાજપના કાર્યકરો અને નેતાઓ ક્યાં તો પોતે ગુંડાગીરી કરે છે અથવા સ્ટેજ પર ઊભા રહીને ગુંડાઓ અને લફંગાઓને માન આપે છે. તેમણે કહ્યું કે, જાે દેશમાં આ અરાજકતાને રોકવી હોય તો સીધો રસ્તો બીજેપી હેડક્વાર્ટર પર બુલડોઝર ચલાવી દેવું જાેઇએ.

મનીષ સિસોદીયાએ આગળ બોલતા કહ્યું હતું કે, ભાજપ ૮ વર્ષમાં સૌથી વધારે રોહિંગ્યાઓને અલગ અલગ વિસ્તારોમાં વસાવ્યા છે. તેમણે કહ્યું કે, હું આજે પાર્ટીને બે સવાલ પૂછવા માંગુ છું.

સૌથી પહેલા ભાજપે આજે જવાબ આપવો જાેઈએ કે, છેલ્લાં ૮ વર્ષમાં કેટલા રોહિંગ્યા, બાંગ્લાદેશીઓ દેશના અલગ-અલગ ભાગોમાં સ્થાયી થયા છે અને શા માટે? ભાજપે આજે પોતાનો હિસાબ આપવો જાેઈએ અને જાે તેમની પાસે ડેટા નથી તો તેમણે ડૂબી મરવું જાેઇએ.

મનીષ સિસોદિયાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ પોતે જ સમગ્ર દેશમાં રોહિંગ્યાઓને સ્થાયી કરે છે અને પછી તેમની સાથે પૂર્વ-સ્ક્રીપ્ટેડ રીતે રમખાણોનું આયોજન કરાવે છે. તેમણે કહ્યું કે ૨૦ એપ્રિલ, ૨૦૨૨ના રોજ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવાનું નાટક કરવામાં આવ્યું.

છેલ્લાં ૧૫ વર્ષમાં શા માટે બાંધકામ કરાવ્યું? પાર્ટીએ જવાબ આપવો જાેઈએ કે ભાજપના કયા નેતાઓએ કેટલા પૈસા ખાઈને આ ગેરકાયદે બાંધકામો કરાવ્યા? મનીષ સિસોદિયાએ કહ્યું કે, આ બાંધકામો તોડવાની સાથે તે બીજેપી નેતાઓના ઘરો પણ તોડી નાંખવા જાેઈએ, જેમણે તેને બચાવવાનું કામ કર્યું, જેમની મિલીભગત અને કાર્યકાળમાં આ બાંધકામો થયા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.