Western Times News

Gujarati News

જહાંગીરપુરીમાં હિન્દુ-મુસ્લિમો ભેટ્યાઃ રવિવારે ત્રિરંગા યાત્રા યોજાશે

નવીદિલ્હી, હિંસાગ્રસ્ત જહાંગીરપુરીના સી-બ્લોકમાં,સ્થાનિક શાંતિ સમિતિના પ્રતિનિધિઓએ શુક્રવારે વિસ્તારમાં શાંતિ અને સૌહાર્દની અપીલ કરી હતી. આ દરમિયાન બંને સમુદાયના લોકોએ એકબીજાને ગળે લગાડ્યા હતા અને આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે સંકલ્પ લીધો હતો. કુશલ ચોક ખાતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હાજર સ્થાનિકોએ જણાવ્યું હતું કે તેઓ ભાઈચારાને રજૂ કરવા માટે રવિવારે આ વિસ્તારમાં ‘તિરંગા યાત્રા’ કાઢશે.

મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિ તબરેઝ ખાને કહ્યું, “અમે સુમેળમાં રહેવા માંગીએ છીએ. અમે સુનિશ્ચિત કરીશું કે આવી ઘટનાઓ ફરીથી ન બને. અમે પોલીસને ફોર્સ અને બેરિકેડિંગ ઘટાડવા વિનંતી કરીએ છીએ.”

હિંદુ સમુદાયના સ્થાનિક રહેવાસી અને રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ ઈન્દર મણિ તિવારીએ કહ્યું, “આ (હિંસા) ઘટના ખરેખર ચિંતાજનક છે. કૃપા કરીને અફવાઓ પર વિશ્વાસ ન કરો. અહીં પહેલીવાર કોમી અથડામણ થઈ છે. આપણે ખાતરી કરવી જાેઈએ કે તે ફરીથી ન થાય.”

તેમણે પરિસ્થિતિને સંભાળવામાં અને અથડામણને વધુ વકરતી અટકાવવામાં પોલીસની ભૂમિકાની પ્રશંસા કરી. ડીસીપી (ઉત્તર પશ્ચિમ) ઉષા રંગનાનીએ લોકોને શાંતિ જાળવવા વિનંતી કરી. ડીસીપીએ કહ્યું, “હું ખુશ છું. બે સમુદાયો વચ્ચે શાંતિ હોવી જાેઈએ. મેં ક્યારેય એચ અને જી બ્લોકમાં દુકાનો ખોલવાથી રોકી નથી. મને ખબર નથી કે આ દુકાનો શા માટે બંધ છે. અમે આ બ્લોક્સમાં દુકાનો અને વ્યવસાયો ખોલવાની સુવિધા આપીશું.

થોડા સમય પહેલા સમાચાર સામે આવ્યા હતા કે રાષ્ટ્રીય રાજધાનીના હિંસાગ્રસ્ત જહાંગીરપુરીમાં વિવાદાસ્પદ અતિક્રમણ વિરોધી અભિયાનના એક દિવસ પછી, શુક્રવારે, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી અને સમાજવાદી પાર્ટીના નેતાઓ પહોંચ્યા હતા.

સ્થાનિક લોકોને મળવા માટે, પરંતુ પોલીસે તેમને અટકાવ્યા. સીપીઆઈનું પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ જહાંગીરપુરીમાં કુશલ ચોક પાસે બેરિકેડ પાસે ધરણા પર બેઠું હતું જ્યારે સુરક્ષાકર્મીઓ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અને રાજ્યસભા સાંસદ ડી રાજાએ કર્યું હતું. તેમણે કહ્યું કે તેઓ લોકોની વેદના સમજવા આવ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.