Western Times News

Gujarati News

મનસુખની હત્યાનો મુખ્ય સુત્રધાર પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્મા

મુંબઇ, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)ને દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના બંગલા એન્ટિલિયા નજીક જિલેટીન ભરેલી સ્કોર્પિયો મળી આવી છે. આ સ્કોર્પિયો મનસુખ હિરેન નામના વેપારીની હતી.

આ મામલે તપાસ કરવામાં આવતા હિરેનની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. હિરેનની હત્યા અને એન્ટિલિયા પાસે મળેલા વિસ્ફોટક વાહનની તપાસ એનઆઇએને મોકલવામાં આવી હતી. જેમાં તેણે હિરેનની હત્યા અને એન્ટિલિયા કેસના અન્ય આરોપીઓ સાથે પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની ધરપકડ કરી હતી.

આ કેસમાં પ્રદીપ શર્માએ મુંબઈ હાઈકોર્ટમાં પોતાની જામીન અરજી દાખલ કરી હતી. મુંબઈ હાઈકોર્ટ શર્માની જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.