Western Times News

Gujarati News

અંકલેશ્વર – પાનોલીમાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓ પણ શંકાસ્પદ?

ભરૂચ જીલ્લામાં ભંગારના ગોડાઉનમાં પણ છાશવારે આગ લાગવાની ઘટનાઓના કારણે પણ ભારે હાહાકાર મચી જાય છે.પરંતુ ગેરકાયદેસર ચાલતા ભંગારનાં ગોડાઉનમાં ફાયરસેફ્ટીના અભાવે પણ આગની ઘટના પગલે ફાયર ફાયટર એ દોડવાની ફરજ પડતી હોય છે.ત્યારે ભરૂચ અંકલેશ્વર અને પાનોલી માં ચાલતા ગેરકાયદેસર ભંગારના ગોડાઉનમાં ફાયર એનઓસી ન હોય અને ગેરકાયદેસર ચાલતા હોય તો વહીવટી તંત્રે પણ કાર્યવાહી કરવાની જરૂર છે.જેના કારણે છાશવારે ભંગારના ગોડાઉનમાં લાગતી આગની ઘટનાઓ પર અંકુશ મેળવી શકાય તેમ છે કારણકે ભંગારના ગોડાઉનમાં આગ ની ઘટના વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હોવાના પણ એક જ મહિનામાં અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.