Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૧૪ કેસ જોવા મળ્યા

ગાંધીનગર, કોરોનાના આંકડા ગુજરાતમાં ઉતાર ચઢાવ જાેવા મળી રહ્યો છે. નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરાયેલી ભીતિ કે જુન-જુલાઇમાં કોરોનાની વધારે એક લહેર આવી શકે છે સાચી ઠરશે કે શું તેવા સવાલો થઇ રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા ૧૪ કેસ નોંધાયા છે, જે કાલે ૨૫ હતા.

તો બીજી તરફ ૧૭ દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૩,૩૮૨ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૯.૧૦ ટકાએ પહોંચી ચુક્યો છે. જાે કો રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં રસીના આજે કુલ ૬૮,૦૭૨ ડોઝ અપાયા હતા.

જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૧૧૮ કેસ એક્ટિવ છે. જે પૈકી ૦૨ નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૧૧૬ નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં ૧૨,૧૩,૩૮૨ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જાે કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ ૧૦,૯૪૩ નાગરિકોનાં મોત પણ થઇ ચુક્યાં છે.

જાે કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ મોત નથી થયું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૫, વડોદરા કોર્પોરેશનમાં ૪, નવસારીમાં ૨ અને સુરત- રાજકોટમાં ૧-૧ કેસ નોંધાયો હતો.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૧૧૯૬ ને પ્રથમ તથા ૧૪૩૩૩ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૭ વર્ષના કિશોરો પૈકી ૩૨૩ ને પ્રથમ અને ૩૬૯૯ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.

આ ઉપરાંત ૯૯૬૮ ને પ્રિકોર્શન ડોઝ અપાયો હતો. ૧૨-૧૪ વર્ષના તરૂણો પૈકી ૫૫૨૨ ને રસીનો પ્રથમ અને ૩૩૦૩૧ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે ૬૮,૦૭૨ કુલ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૦,૮૧,૧૫,૬૫૦ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.