Western Times News

Gujarati News

સિદ્ધપુર રેલવે સ્ટેશન ખાતે નવનિર્મિત બુકિંગ ઓફિસનું ઉદ્ઘાટન

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને તારીખ 06 મે 2022 ના રોજ સિદ્ધપુર રેલવે સ્ટેશન પર નવનિર્મિત બુકિંગ ઑફિસ (આરક્ષિત અને અનારક્ષિત) નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

મંડળ રેલ પ્રવક્તા, અમદાવાદએ માહિતી આપતા જણાવ્યું કે, માનનીય સાંસદ શ્રી ભરતસિંહજી એસ. ડાભી દ્વારા સિધ્ધપુર સ્ટેશન પર નવનિર્મિત બુકિંગ ઓફિસ (આરક્ષિત અને અનારક્ષિત) નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માનનીય ધારાસભ્ય, સિદ્ધપુર શ્રી ચંદનજી ટી. ઠાકોર, માનનીય અધ્યક્ષા, નગરપાલિકા-સિદ્ધપુર શ્રીમતી કૃપાબેન એમ. આચાર્ય તથા મંડળ રેલ પ્રબંધક શ્રી તરૂણ જૈન, રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકો અને રેલ્વે મુસાફરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ બુકિંગ ઓફિસ શરૂ થવાથી મુસાફરો સિદ્ધપુર રેલવે સ્ટેશન પરથી તેમની આરક્ષિત અને અનારક્ષિત ટિકિટો લઈ શકશે. બુકિંગ ઓફિસના ઉદઘાટન સાથે આરક્ષિત અને અનારક્ષિત ટિકિટોનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.