Western Times News

Gujarati News

લુણાવાડા તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ મી મે ના રોજ યોજાશે

લુણાવાડા,
લુણાવાડા તાલુકા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરીયાદ માટે ઉચ્ચ કક્ષાએ ગાંઘીનગર સુઘી જવુ ના પડે તે માટે દર માસના ચોથા બુઘવારે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ દિવસનું આયોજન કરવામાં આવે છે. નાગરીકોના પ્રશ્નો અસરકારક અને ન્યાયીક રીતે હલ થાય તે માટે મામલતદારશ્રી લુણાવાડાના અધ્યક્ષ સ્થાને એપ્રિલ માસના ચોથા બુઘવારે તા.૨૫/૦૫/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, લુણાવાડા ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં રજુ કરવાના તાલુકા કક્ષાના પ્રશ્નો – ફરીયાદો તા.૧૫/૦૫/૨૦૨૨ સુધીમાં મામલતદાર કચેરી, લુણાવાડા ખાતે રજુ કરવાના રહેશે. તેમ લુણાવાડા મામલતદારશ્રી આઇ.એચ.પટેલની અખબારયાદીમાં જણાવાયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.