Western Times News

Gujarati News

મામા ગોવિંદાને ખૂબ યાદ કરું છું: કોમેડિયન કૃષ્ણા અભિષેક

મુંબઈ, ધ કપિલ શર્મા શો ફેમ એક્ટર-કોમેડિયન કૃષ્ણા અભિષેકનો મામા ગોવિંદા સાથેનો વિખવાદ અનેકવાર જાહેરમાં ચર્ચાયો છે. કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહ અને ગોવિંદાની પત્ની સુનિતા આહુજા વચ્ચે થયેલી તૂતૂ-મેંમેં ઘણીવાર છાપે ચડી છે. બંને પરિવારો વચ્ચે બોલવાનો પણ સંબંધ નથી ત્યારે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં કૃષ્ણા અભિષેકે મામાને ખૂબ યાદ કરતો હોવાનું જણાવ્યું છે.

સાથે જ મામા સાથે સમાધાન કરી લેવાની ઈચ્છા વ્યક્ત કરતાં ફરી એકવાર કૃષ્ણાએ ગોવિંદાની માફી માગી છે. એક્ટર મનીષ પૉલના પોડકાસ્ટમાં કૃષ્ણાએ આ વિશે વાત કરી હતી. મનીષ પૉલે કૃષ્ણાને મામા ગોવિંદા સાથેના વિખવાદ અંગે પૂછતાં તેણે કહ્યું કે, જ્યારે પણ તેણે કોઈ ઈન્ટરવ્યૂમાં આ વિશે વાત કરી છે ત્યારે તેમાં મીઠું-મરચું ભભરાવીને વાતને અલગ રીતે દર્શાવામાં આવી છે.

આ જ કારણે સંબંધો વણસ્યા હોવાનો દાવો પણ કૃષ્ણાએ કર્યો હતો. ત્યારે મનીષે તેને વાયદો આપ્યો હતો કે, આ પોડકાસ્ટમાં તે મામા અંગે જે પણ કહેશે તેને કોઈપણ પ્રકારના એડિટિંગ વિના જેવું છે તેવું જ લોકો સુધી પહોંચાડવામાં આવશે. મામા વિશે વાત કરતાં કૃષ્ણાની આંખમાં આસું આવી ગયા હતા. તેણે કહ્યું, “ચીચી મામા, હું તમને ખૂબ પ્રેમ કરું છું અને તમને ખૂબ યાદ કરું છું. હું કાયમ તમને યાદ કરું છું.

તમે ક્યારેય છાપા કે અન્ય માધ્યમોમાં લખાતી વાતોને સાચી ના માનશો. મીડિયામાં શું લખાય છે તેના પર લક્ષ્ય ના આપશો. એક વાતનો મને અફસોસ છે અને હું ઈચ્છું છું કે મારા બાળકોને મારા મામા રમાડે. મને વિશ્વાસ છે કે તેઓ પણ મને ખૂબ યાદ કરતાં હશે અને હંમેશા કરતાં રહેશે.”

કૃષ્ણા અભિષેક અને બોલિવુડ સ્ટાર ગોવિંદાના પરિવારનો વિખવાદ અનેકવાર હેડલાઈન બન્યો છે. જાેકે, બંને પરિવારો વચ્ચેના સંબંધો કયા મુદ્દે વકર્યા તેના અંગે કોઈ સ્પષ્ટતા નથી. ગોવિંદા અને કૃષ્ણા તેમજ તેમના પરિવારો વચ્ચે લાંબા સમયથી વાતચીત બંધ છે.

જ્યારે ‘ધ કપિલ શર્મા શો’ના ગોવિંદા સ્પેશિયલ એપિસોડમાં કૃષ્ણા અભિષેકે ભાગ લેવાની ના પાડી ત્યારે આગમાં ઘી ઉમેરાયું હતું. બંને પરિવારો વચ્ચેની કડવાશ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ, ઈન્ટરવ્યૂ અને જાહેર કાર્યક્રમોમાં દેખાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.