Western Times News

Gujarati News

સર્જરી બાદ નકુલ મહેતાને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

મુંબઈ, બુધવારે સર્જરી માટે નકુલ મહેતાને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હોવાની ખબર સામે આવી હતી. બાદમાં ખુલાસો થયો હતો કે, તેનું એપેન્ડિક્સનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. સર્જરીના બીજા દિવસે એક્ટરને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.

ગુરુવારે સાંજે ૬.૧૫ કલાકની આસપાસ તે ઘરે પહોંચ્યો હતો. નકુલ મહેતા હાલ આરામ પર છે અને સીરિયલ ‘બડે અચ્છે લગતે હૈ ૨’માંથી શોર્ટ બ્રેક લીધો છે. શોમાં આગામી સમયમાં પાંચ વર્ષનો લીપ આવવાનો છે અને લીપ એપિસોડ ૭ જૂને ઓન-એર થશે. એક્ટરે આગામી એપિસોડનું શૂટિંગ અગાઉથી જ કરી લીધું હતું અને સંપૂર્ણપણે રિકવર થયા બાદ તે ૮ અથવા ૧૦ જૂનથી ફરી શૂટિંગ શરૂ કરશે.

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે જતા પહેલા નકુલ મહેતા સોશિયલ મીડિયા હેન્ડલ પર હેલ્થ અપડેટ આપી હતી. આ સાથે તેણે તેના સ્વાસ્થ્યની કામના કરનારા ફેન્સનો આભાર માન્યો હતો. તેણે લખ્યું હતું ‘તેઓ જેમણે ખબર પૂછી ફોરેસ્ટ ગમ્પમાં જેમ કહ્યું છે ‘મમ્મી હંમેશા કહેતા કહે છે જીવન એ ચોકલેટના ડબ્બા જેવું છે.

તમને શું મળશે તે ખબર હોતી નથી’. ૨૪ કલાકની અંદર હું સેલિબ્રેશનથી હોસ્પિટલમાં ગયો. મને સૌથી વધુ ચિંતા હતી કે ફિલ્મના શૂટિંગને અસર પડશે પરંતુ બાદમાં થયું શું કોઈ જીવનમાં કંઈ નક્કી કરી શકે છે. તમામ મેસેજ, ફોન અને ટ્‌વીટથી હું ભાવવિભોર થઈ ગયો.

મને તેમની પાસે પહોંચવામાં થોડા દિવસો લાગી શકે છે જ્યારે હું મારી તાકાત પાછી મેળવીશ અને અત્યારે સારી કોફી પીવાની ઈચ્છા છે. જાે કે, ગુડ ન્યૂઝ એ છે કે, મેં માત્ર મારું એપેન્ડિક્સ ગુમાવ્યું છે અને સેન્સ ઓફ હ્યુમર નહીં! પ્રેમ અને ગર્વ’. આ સાથે તેણે સર્જરી કરનારા ડોક્ટરોનો પણ આભાર માન્યો હતો.

તેની આ પોસ્ટ પર ચારુ મલિક, રસિકા દુગ્ગલ, માનસી શ્રીવાસ્તવ, શ્રેણુ પરીખ, કરણવીર બોહરા, ગૌતમ રોડે, ગુનીત મોંગા, શુભાવી ચોક્સી, કૃતિકા કામરા તેમજ દ્રષ્ટિ ધામી સહિતના મિત્રોએ ‘ગેટ વેલ સૂન’ કોમેન્ટ ડ્રોપ કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.