Western Times News

Gujarati News

મુકેશ અંબાણીએ બદ્રીનાથમાં ૧૫ મિનિટ સુધી બદરી વિશાલની પૂજા-અર્ચના કરી

મુંબઇ, બિઝનેસમેન મુકેશ અંબાણી દિવાળીના તહેવાર પર ચારધામમાંથી એક પ્રખ્યાત એવા મંદિર બદ્રરીનાથ ધામ દર્શન કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ૧૫ મિનિટ સુધી ભગવાન બદરી વિશાલની પૂજા-અર્ચન કરી. આ પછી તેમણે ભગવાન કુબેર અને માતા લક્ષ્મીજીની પૂજા કરીને આશીર્વાદ લીધા. મુકેશ અંબાણી એકલા જ હેલિકોપ્ટરથી સવારે ૮ઃ૫૦ વાગે બદ્રીનાથ પહોંચ્યા, જ્યાં તેમણું બદ્રીનાથ-કેદારનાથ મંદિરની સમિતિની સભ્યોએ સ્વાગત કર્યુ. આ પછી તેઓ પૂજા માટે ગયા. બદ્રીનાથની પૂજા પછી તેઓ કેદારનાથના દર્શન કરવા માટે રવાના થઇ ગયા.

બદ્રીનાથ-કેદારનાથ સમિતિના અધ્યક્ષ મોહન પ્રસાદના અનુસાર, ”મુકેશ અંબાણીએ ૨ કરોડ રૂપિયાનું દાન કર્યુ છે. જેમાંથી એક કરોડ બદ્રીનાથ માટે જ્યારે બાકીના ૧ કરોડ કેદારનાથ માટે છે. આ સિવાય મુકેશ અંબાણીએ કર્ણાટકમાં ચંદન વાટિકાની જમીન ખરીદવા માટે મુંબઇ બોલાવ્યા છે.” દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિમાં શામેલ મુકેશ અંબાણીને ભગવાન બદરી વિશાલમાં ખૂબ જ આસ્થા છે. તેઓ દર વર્ષે ધામમાં આવીને દર્શન કરે છે. ગત મે મહિનામાં તેઓ આવ્યા હતા અને ગીતાનો પાઠ કરાવ્યો હતો. એટલું જ નહી તેઓ બદ્રીનાથ અને કેદારનાથમાં ચંદન અને કેસર માટે ધનરાશિ ચોક્કસથી આપે છે. દર વર્ષે તેઓ ૨ કરોડ રૂપિયા ચંદન માટે ભેટ કરે છે.આ સાથે જ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ બદ્રીનાથ અને કેદારનાથમાં ચંદનની ઉણપ ના થાય તે માટે કર્ણાટકમાં પાંચ વીધા જમીન પર બદરીશ ધીરુભાઇ અંબાણી ચંદન વાટિકા સ્થાપિત કરવા માટે સહમતી આપી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.