Western Times News

Gujarati News

ડફનાળા એસટીપી પ્લાન્ટઃ ભેંસ ભાગોળે, છાશ છાગોળે

આર્મીેએ ત્રણ વર્ષથી જમીન ફાળવી નથીઃ મનપાએ ત્રણ વખત ટેન્ડર જાહેર કર્યા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાબરમતી નદી શુÂધ્ધકરણ માટે વિવિધ પ્રોજેક્ટોના આયોજન કર્યા છે. શહેરના ઉત્તર તથા મધ્ય ઝોનમાંથી નદીમાં અશુધ્ધ પાણી છોડવામાં આવતા હતા. જેને બંધ કરવા માટે કોતરપુર, આર્મી કેન્ટોનમેન્ટ તથા શંકરભુવન છાપરા પાસે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા જાહેરાત કરી હતી.

નદી શુદ્ધિકરણનો વધુ એક નિષ્ફળ પ્રયોગ

જે પૈકી શંકરભુવન છાપરા પાસે રપ એમએલડી ક્ષમતાનો પ્લાન્ટ લગભગ પૂર્ણ થવાના આરે છે. કોતરપુર પ્લાન્ટ માટે હજુ સુધી નક્કર આયોજન થયુ નથી. જ્યારે આર્મી કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી જમીન માટે પ્રતિક્ષા થઈ રહી છે. ડીફેન્સ ડીપાર્ટમેન્ટ તરફથી હજુ સુધી જમીન ફાળવવામાં આવી નથી તેમ છતાં તંત્રએ ટેન્ડરો પણ જાહેર કર્યા છે.

શહેરના શાહીબાગ-ડફનાળા વિસ્તાર તથા ઘોડાકેમ્પ તરથી આવતા સુએઝ વાટરને ટ્રીટ કરવા માટે મ્યુનિસિપલ ઈજનેર ખાતાએ રીવરફ્રન્ટ વિસ્તારમાં એસટીપી બનાવવા જાહેરાત કરી હતી.

રીવરફ્રન્ટ ડફનાળા પાસે ‘બુધ્ધા’ની પ્રતિમાની પાછળના ભાગે રપ એમએલડીનો એસટીપી પ્લાન્ટ માટે આયોજન કરવામાં આવ્યુ છે. પરંતુ આ જમીન ડીફેન્સ વિભાગની માલિકી હોવાથી મનપા દ્વારા બે વર્ષ ‘અગાઉ જમીન ફાળવણી માટે પત્ર લખવામાં આવ્યો હતો.

ડીફેન્સ ડીપાર્ટમેન્ટ પાસેથી હજુ સુધી કોઈ નક્કર જવાબ મળતો નથી તેમ છતાં તંત્ર દ્વારા ત્રણ ત્રણ વખત ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ ટેન્ડરમાં સીંગલ પાર્ટી હોવાથી ટેન્ડર ખોલવામાં આવ્યા નહોતા. બીજા ટેન્ડરમાં કોઈપણ સંસ્થાએ રસ દાખવ્યો નહોતો. જ્યારે ત્રીજી વખતના ટેન્ડરને મંજુરી માટે વાટર સપ્લાય કમિટિ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. પરંતુ કમિટિએ આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.

મ્યુનિસિપલ ઈજનેર વિભાગના સુત્રોઅ જણાવ્યા અનુસાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે આર્મી કેન્ટોન્મેન્ટ એરિયાની અંદાજે ૮પ૦૦ ચો.મી. જમીનની માંગણી કરવામાં આવી છે. સ્થાનિક લેવલે આ અંગે મંજુરી પણ મળી ગઈ છે. હવે ઉચ્ચ ઓથોરીટીની મંજુરી માટે પ્રક્રિયા ચાલી રહી છે.

રીવરફ્રન્ટમાં જે સ્થળે પ્લાન્ટ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યુ છે તેની પાસે જ આઈપીએસ મેસ આવેલી છે. તેથી એસટીપીની દુર્ગંધ મામલે પણ સવાલ ઉઠ્યા હતા. જેનું નિરાકરણ કરવામાં આવ્યુ છે. તથા તૈયાર થનાર એસટીપી પ્લાન્ટમાં ‘દુર્ગંધ’ દૂર કરવા માટે પણ ખાસ સુવિધા કરવામાં આવશે.

રાજ્યના વડોદરા શહેરમાં થોડા સમય પહેલાં જ આ પ્રકારે ‘ઓર્ડર રીન્યુવલ’ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. ડફનાળા વિસ્તારમાં હાલ દૈનિક ૧પ એમએલડી સુએરઝ વાટર પ્લાન્ટની આવક છે. જેનો નિકાલ નદીમાં થઈ રહ્યો છે.
મ્યુનિસિપલ સુત્રોના મંતવ્ય મુજબ ડફનાળા તથા ઘોડા કેમ્પ વિસ્તારમાં જે સુઅરેઝ વાટર આવે છે તેને ઈન્ટરસેપ્ટર મારફતે વાસણા ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી લઈ જવામાં આવે છે. તથા ટ્રીટ કર્યા બાદ નદીમાં છોડવામાં આવી રહ્યુ છે. કોતરપુર વિસ્તારમાં પણ સમાન પરિસ્થિતિ  છે. આ વિસ્તારના સુઅરેઝ વાટરનો નિકાલ કરવા માટે યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ નથી.

સ્માર્ટસીટી અંતર્ગત તૈયાર કરવામાં આવેલા જલવિહાર પ્લાન્ટના પરિણામ થોડા નિરાશાજનક છે. જેના કારણે નદી શુધ્ધીકરણ પ્રોજેક્ટમાં તંત્રના ભાગે નિષ્ફળતા જ આવી રહી છે.  મ્યુનિસિપલ કમિશ્નરે નદી શુધ્ધીકરણની જવાબદારી સાબરમતી રીવરફ્રન્ટ ડેવલોપમેન્ટને સોંપી છે. જેના માટે એેક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મંગાવવામાં આવ્યા છે. પંરતુ આ શુધ્ધીકરણ ડફનાળાથી વાસણા બેરેજ સુધીના વિસ્તારમાં જ થશે.

જ્યારે પીરાણા એસટીપી પ્લાન્ટ તથા જીઆઈડીસી ટર્મિનલ પરથી મોટા પ્રમાણમાં સુઅરેઝ વાટર બાયપાસ કરવામાં આવે છે. નદીમાં છોડવામાં આવતા એસિટીક વાટર માટે જીપીસીબી એ પણ તાજેતરમાં મનપાને નોટીસ આપી છે. નારોલ, શાહવાડી વિસ્તારમાં એક મહિના અગાઉ ડ્રેનેઝ પ્રોજેક્ટ વિભાગે જીપીસીબીની નોટીસ મળ્યા બાદ ર૦ જેટલા અનઅધિકૃત જાડાણો દૂર કર્યા હતા.

સાબરમતી નદી શુધ્ધીકરણ માટે છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ આયોજન થાય છે. પરંતુ યોગ્ય આયોજનના અભાવે તેનો નક્કર અમલ થતો નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ નદીમાં દુષિત પાણી છોડવામાં આવી રહ્યુ છે. તથા તે અંગેના અનેક પ્રમાણ પણ વારંવાર મળી રહ્યા છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા માત્રા દાવા અને જાહેરાતો જ થઈ રહ્યા છે. પરંતુ નદીને શુધ્ધ કરવાની દિશામાં કોઈ જ અસરકારક કાર્યવાહી થઈ રહી  નથી તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.