Western Times News

Gujarati News

નવા દયાભાભીના રોલ માટે કાજલ પિસલના નામ પર વિચારણા

ઘણા શોનો ભાગ રહી ચૂકી છે કાજલ પિસલ

મેટરનિટી લીવ પર ગયેલી દિશા વાકાણી પાંચ વર્ષ બાદ પણ પરત ન આવતાં રિપ્લેસ સિવાય નથી કોઈ વિકલ્પ

મુંબઈ,માત્ર જેઠાલાલ, મહિલા મંડળ તેમજ ગોકુલધામ સોસાયટીના તમામ રહેવાસીઓ જ નહીં પરંતુ સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દર્શકો પણ છેલ્લા પાંચ વર્ષથી દિશા વાકાણી ઉર્ફે દયાભાભીના પરત ફરવાની રાહ જાેઈ રહ્યા છે. ૨૦૦૮થી એટલે કે શરૂઆતથી ્‌સ્ર્દ્ભંઝ્રની સાથે જાેડાયેલી દિશા વાકાણી વર્ષ ૨૦૧૭માં મેટરનિટી લીવ પર ગઈ હતી અને ત્યારબાદથી શો પરથી ગાયબ છે.

થોડા દિવસ પહેલા તેના કમબેકની અટકળો તેજ થઈ હતી પરંતુ તરત જ બાદ તેણે બીજા સંતાનને જન્મ આપ્યો હોવાની ખબર આવતાં દર્શકોની આશા પર પાણી ફરી વળ્યું હતું. પ્રોડક્શન હાઉસ પાસે હવે એક્ટ્‌ર્સેને રિપ્લેસ કરવા સિવાય બીજાે કોઈ જ વિકલ્પ રહ્યો નથી. છેલ્લા કેટલાક મહિનાથી ‘દયાભાભી’ના પાત્ર માટે ઐશ્વર્યા સખુજા અને રાખી વિજાન સહિતના કેટલાક નામની ચર્ચા થઈ હતી. જાે કે, કંઈપણ પુષ્ટિ થઈ નહોતી. હવે, અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સને વધુ એક નામ જાણવા મળ્યું છે, જેના પર વિચારણા થઈ રહી છે અને તે છે કાજલ પિસલ.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સ રોલ માટે તેના નામ પર વિચાર કરી રહ્યા છે. એક્ટ્રેસ, જે છેલ્લે શો ‘ર્સિફ તુમ’માં જાેવા મળી હતી, તેણે મેસેજનો જવાબ આપ્યો નહોતો. જાે કે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે ‘જાે કાજલને કાસ્ટ કરાશે તો તે આશરે આવતા મહિનાથી શૂટિંગ શરૂ કરી દેશે. કાજલ પિસલ બડે અચ્છે લગતે હૈ, નાગિન ૫ અને સાથ નિભાના સાથિયા જેવા શોનો પણ ભાગ રહી ચૂકી છે. જાે કે, ‘દયાભાભી’ બનશે તો દર્શકો માટે પણ સ્ક્રીન પર તેને જાેવી ઘણી રસપ્રદ રહેશે.

શું ખરેખર કાજલ પિસલ જ દિશા વાકાણીને રિપ્લેસ કરશે? તે તો આગામી સમયમાં જ જાણવા મળશે. જ્યારે પ્રોડક્શન હાઉસનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે, રોલ માટે ઘણી એક્ટ્રેસિસના નામ પર વિચારણા કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી કોઈનું નામ ફાઈનલ થયું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.