Western Times News

Gujarati News

પ્રતિડોઝ પ રૂપિયાથી સસ્તી દવાને નિયંત્રણથી બહાર થશે

tablet medicines

મુંબઈ,  પ્રતિ ડોસ પાંચ રૂપિયા કરતા ઓછી કિંમત ધરાવતી દવાઓને ટૂંકમાં જ ભાવ નિયંત્રણમાંથી દૂર કરી દેવામાં આવશે. આની સાથે દવા બનાવતી કંપનીઓને આ દવાઓની કિંમતોમાં દર વર્ષે ૧૦ ટકા સુધીનો વધારો કરવાની લીલીઝંડી મળી જશે. દેશની જીવનજરૂરી દવાઓ (એનએલઇએમ)ની યાદીમાંથી આ દવાઓને દૂર કરવામાં આવનાર છે. ઇન્ડસ્ટ્રી અને સરકારમાં રહેલા સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, જો આ દવા આગળ વધશે તો દવા કંપનીઓને આ દવાઓની કિંમતમાં વધારો કરવાની મંજુરી મળી જશે. સ્ટેન્ડિંગ નેશનલ કમિટિ ઓન મેડિસિન દ્વારા વર્ષ ૨૦૧૫માં છેલ્લે યાદીને અપડેટ કરવામાં આવી હતી. હવે ફરી એકવાર આ બેઠક શરૂ થઇ રહી છે.

આજે ચોથી નવેમ્બરના દિવસે બેઠક શરૂ થયા બાદ સંબંધિતો સાથે વાતચીત કરીને નિર્ણય લેવામાં આવશે. આ ઘટનાક્રમ પર દવા બનાવતી અનેક કંપનીઓ નજર રાખી રહી છે. જા આ તમામ બાબતો નિયમન મુજબ આગળ વધશે તો પ્રતિ ડોસ પાંચ રૂપિયાથી ઓછી કિંમત ધરાવતી દવાઓ ભાવ નિયંત્રણમાંથી બહાર આવી જશે અને કિંમતો વધશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.