Western Times News

Gujarati News

ગૌહર ખાન સાથે થઈ હતી સાજિદ ખાનની સગાઈ

મુંબઈ, બોલિવુડ ફિલ્મમેકર સાજિદ ખાન પર ઈંસ્ી્‌ર્ર્ મૂવમેન્ટ અંતર્ગત ઘણા ગંભીર આરોપ લાગ્યા હતા. એક વર્ષ સુધી તેને બેન પણ કરી દેવામાં આવ્યો હતો. હાલ, તે સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવી રહેલા વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ ૧૬માં કન્ટેસ્ટન્ટ તરીકે જાેવા મળી રહ્યો છે. જાે કે, શોમાં તેના હોવાથી વિવાદ અટકવાનું નામ લઈ રહ્યો નથી. વાત મહિલા આયોગ સુધી પહોંચી છે.

આ બધાની વચ્ચે સાજિદ ખાનનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાને ચરિત્રહીન કહેતો જાેવા મળ્યો. આ સિવાય તેણે પોતાના જૂના રિલેશનશિપ વિશે પણ વાત કરી. તેણે તેમ પણ કહ્યું કે, ટીવી એક્ટ્રેસ ગૌહર ખાન સાથે તેની સગાઈ થઈ ચૂકી હતી પરંતુ તેના ઘણા લિંકઅપના કારણે લગ્ન થઈ શક્યા નહીં.

કિરણ જુનેજાના શો ‘કોશિશ સે કામયાબી તક’માં સાજિદ ખાનને ગૌહર ખાનથી અલગ થવાનું કારણ પૂછવામાં આવ્યું હતું. જેના પર તેણે કહ્યું હતું કે, ‘હું ચરિત્રહીન હતો. તે સમયે હું ઘણી છોકરીઓ સાથે ફરતો હતો અને ખૂબ ખોટું બોલતો હતો. મેં એવું ખરાબ વર્તન નથી કર્યું પરંતુ દરેક છોકરીને- આઈ લવ યુ અને મારી સાથે લગ્ન કરીશ? તેમ કહેતો હતો.

સાજિદ ખાને આગળ મજાકમાં કહ્યું હતું તે, જાે બધી બાબતો તેના પક્ષમાં હોત તો અત્યારસુધીમાં ૩૫૦ વખત લગ્ન થઈ ગયા હોત. તેણે તેમ પણ ઉમેર્યું હતું કે, તેના જીવનમાં આવેલી તમામ મહિલાઓ તેને યાદ કરીને ગાળો આપી રહી હશે. તેણે ‘આઈ લવ યુ’ના ફેઝને સ્વાર્થી ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, એક રિલેશનશિપ ચલાવવા માટે મિત્રતા કેટલી મહત્વની હોય છે.

સાજિદ ખાને કહ્યું હતું કે, ભારતમાં અરેન્જ મેરેજ એટલા માટે કામ કરે છે કારણ કે, બે વ્યક્તિઓ વચ્ચે લગ્ન બાદ ફ્રેન્ડશિપ ડેવલપ થવામાં થોડો સમય લાગે છે. તેમને સંબંધો ટકાવી રાખવામાં મદદ મળે છે. સાચ્ચી પ્રેમ કહાણીમાં ઉતાર-ચડાવ આવતા રહે છે. તે દરેક વ્યક્તિ પણ ર્નિભર કરે છે. ગૌહર ખાન હાલ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર ઝૈદ દરબાર સાથેના લગ્નજીવનમાં વ્યસ્ત છે.

જાે કે, આ પહેલા તે સાજિદ ખાનને ડેટ કરતી હતી. બંને લગ્ન કરવાના હતા. તે ફરાહ ખાનની ભાભી બનવાની હતી. પરંતુ તેમ થયું નહીં. ૨૦૦૩માં તેમની સગાઈ થઈ હતી અને કેટલાક અંગત કારણોસર તેમના લગ્ન નહોતા થઈ શક્યા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.