Western Times News

Gujarati News

રોહન મહેરા બેસ્ટ ફ્રેન્ડ વૈશાલીના નિધનથી ભાંગી પડ્યો છે

મુંબઈ, ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરના એકાએક નિધનને કારણે તેના ઈન્ડસ્ટ્રીના મિત્રો અને કો-સ્ટાર્સ શોકમાં ગરકાવ છે. અભિનેત્રીએ રવિવારના રોજ ઈન્દોરમાં પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી હતી. વૈશાલીના પ્રથમ શૉ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં તેની સાથે કામ કરી ચૂકેલા અભિનેતા રોહન મહેરાએ પોતાની પીડા ઠાલવી છે. રોહન માટે આ સમાચારને સ્વીકારવા મુશ્કેલ છે.

આ સિવાય રોહને જણાવ્યું કે વૈશાલીને તાણની સમસ્યા હતા અને તેની સારવાર પણ ચાલી રહી હતી. યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં નક્ષનું પાત્ર ભજવનારા રોહન મહેરાએ જણાવ્યું કે, તે મારા માટે માત્ર કો-સ્ટાર નહોતી, તે મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. અમે એકબીજા સાથે ઘણી વાતો કરતા હતા. બે દિવસ પહેલા જ મારી તેની સાથે વાત થઈ હતી, મને નહોતી ખબર કે તે અમારી અંતિમ વાતચીત હતી.

અમારી વાત સમયસર થતી રહેતી હતી. મને ખબર હતી કે તેની દવા ચાલી રહી છે અને તેને છહટૈીંઅની સમસ્યા હતી. પણ મને ક્યારેય એવુ ના લાગ્યું કે સ્થિતિ આટલી ગંભીર હશે, કારણકે તે ઘણી ખુશ જણાતી હતી. ટૂંક સમયમાં તેના લગ્ન પણ થવાના હતા.

તેણે અમને લગ્ન માટે આમંત્રણ પણ પાઠવ્યુ હતું. અમે જવાના પણ હતા, પણ હવે સમજાતુ જ નથી કે આ શું થઈ ગયુ. બે દિવસ પહેલા તેણે શાંતિથી વાત કરી હતી, તે અપસેટ પણ નહોતી જણાતી. તે પાછલા થોડા મહિનાઓથી પરિવાર સાથે રહેતી હતી. તેનો મુંબઈ આવવાનો પણ પ્લાન હતો, પણ તે કેન્સલ થયો હતો.

અમે તે વાતચીત દરમિયાન હસ્યા પણ હતા. ઉલ્લેખનીય છે કે રોહન અને વૈશાલીએ બે સીરિયલમાં એક સાથે કામ કર્યુ હતું. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિવાય સસુરાલ સિમર કામાં પણ તેઓ એકસાથે જાેવા મળ્યા હતા. રોહન જણાવે છે કે, હું સ્તબ્ધ છું. હું તો બસ રડી રહ્યો છું.

વિચારી વિચારીને મારું દિમાગ થાકી ગયું છે. બધાના ફોન આવી રહ્યા છે. હું કેવી રીતે જણાવું કે મારા માટે તે શું હતી. અમે એકબીજા સાથે તમામ વાતો શેર કરતા હતા. યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અમારી સાથે એન્ટ્રી હતી. અમે એકસાથે કેપ ટાઉન પણ ગયા હતા.

ત્યારપછી અમે સસુરાલ સિમર કામાં એકસાથે કામ કર્યું. આ સીરિયલમાં તેણે મારી પત્નીનો રોલ કર્યો હતો. તે ઘણી સમજદાર હતી, આધ્યાત્મિક વાતો કરતી હતી. મને હજી નથી સમજાતુ તેણે આ પગલું કેમ ભર્યુ. તે પોતાના માટે ઘણી પ્રવૃત્તિઓ કરતી રહેતી હતી.

મને લાગ્યું કે તે સારું ફીલ કરી રહી છે, પણ હું ખોટો હતો. તેના લગ્ન થવાના હતા અને તે ખુશ હતી. તેણે મને ટિકિટ બુક કરવાનુ કહ્યું તો મેં કહ્યુ હતું કે, તારીખ નજીક આવશે તો કરાવી લઈશ. રોહને વૈશાલીના લગ્ન વિશે પણ વાત કરી. અભિનેતાએ જણાવ્યું કે, તે અરેન્જ મેરેજ કરવાની હતી. તેણે પોતાના થનારા પતિને લગતી એક સ્ટોરી પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.