Western Times News

Gujarati News

ચારુ અસોપા અંતે રાજીવ સેનનું ઘર છોડી દીધું

મુંબઈ, ચારુ અસોપા હંમેશા તેની પ્રોફેશનલ કરતાં પર્સનલ લાઈફ માટે ચર્ચામાં રહી છે. તેણે સુષ્મિતા સેનના ભાઈ અને બિઝનેસમેન રાજીવ સેન સાથે ૨૦૧૯માં લગ્ન કર્યા હતા. શરૂઆતથી જ બંને વચ્ચે વિવાદ ચાલતો હતો તેમ છતાં સાત ફેરા લેવાનું નક્કી કર્યું હતું.

લગ્ન બાદ પણ તેમનો વિવાદ શમ્યો નહીં, એક્ટ્રેસની પ્રેગ્નેન્સી વખતે લોકોને લાગતું હતું કે, હવે કપલ વચ્ચેના મતભેદનો અંત આવી જશે. જાે કે, દીકરી ઝિયાનાના જન્મના થોડા સમય બધું સરખું ચાલ્યું અને વાત તેમના અલગ થવા પર આવી ગઈ. એક્ટ્રેસે ડિવોર્સ ફાઈલ કરી દીધા હતા.

પરંતુ, ગણેશ ચતુર્થી પહેલા વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે તેમજ દીકરી માટે અલગ ન થવું જાેઈએ, તેવું બંનેએ વિચાર્યું હતું. બંનેએ એકબીજાને બીજી તક આપવાનું નક્કી કર્યું તેને હજી એક મહિનો પણ નહોતો થયો ત્યાં ફરી ઝઘડો થયો.

આ વખતે ચારુ અસોપાએ ડિવોર્સ લેવાનું મન બનાવી લીધું છે અને દીકરી સાથે પોતાના નવા ઘરમાં રહેવા જતી રહી છે.  ચેનલ ધરાવતી ચારુ અસોપાએ હાલમાં એક વ્લોગ શેર કર્યો હતો. જેમાં તે ડિવોર્સ લેવા જઈ રહી હોવાનું જણાવ્યું હતું. દીકરી ઝિયાના સાથે ચારુ અસોપાની આ પહેલી દિવાળી હતી, જે તેણે પોતાના માતા-પિતા સાથે મનાવી હતી.

હાલમાં જ તે ડેન્ગ્યુથી રિકવર થઈ છે તેથી ડોક્ટરની પરમિશન લઈને તે રસ્તા પર કરવામાં આવેલી રોશની જાેવા માટે બહાર લઈ ગઈ હોવાનું ચારુએ જણાવ્યું હતું. વીડિયોમાં એક્ટ્રેસે નવા ઘરની ઝલક પણ દેખાડી હતી.

રાજીવ સેન સાથે ભલે ચારુ અસોપાને બગડ્યું હોય પરંતુ તેની બહેન સુષ્મિતા સેન અને બંને દીકરો અલિસા તેમજ રેને સાથે તેના સારા સંબંધો છે. પહેલી નવેમ્બરે ઝિયાના એક વર્ષની થવાની છે અને આ બર્થ ડે એક્ટ્રેસ ધામધૂમથી ઉજવવા માગે છે.

સુષ્મિતા અને તેની બંને દીકરીઓ તેમા સામેલ થવાની છે. વ્લોગમાં તેણે આ વાત કહી હતી. અગાઉ આપેલા ઈન્ટરવ્યૂમાં, રાજીવ સેનને બીજી તક આપવાને ચારુ અસોપાએ મોટી ભૂલ ગણાવી હતી. તેણે કહ્યું હતું કે ‘મારા સાડા ત્રણ વર્ષ બરબાદ થઈ ગયા.

હવે, આ લગ્નને વધારે ખેંચવાનું થતું નથી. લોકડાઉન થયું તેના થોડા દિવસ પહેલા જ મને છોડીને જતો રહ્યો હતો. તે સમયે હું એકલી હતી. ત્યારે મને સમજાયું હતું કે, તે ૪૫ વર્ષનો છે અને હું તેને બદલી શકું નહીં.

અમારી વચ્ચે ઘણી સમસ્યા હતી પરંતુ અમારી દીકરી ઝિયાના માટે બધું સરખું થઈ જશે તેમ લાગતું હતું. દુર્ભાગ્યરીતે તેમ થયું નહીં, રાજીવને ખૂબ જ ગુસ્સો આવે છે, મને ગાળો આપે છે. આટલું જ નહીં એક-બે વખત મારા પર હાથ પણ ઉગામી ચૂક્યો છે. તે મારા પર શંકા કરતો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.