Western Times News

Gujarati News

દુર્લભ બીમારી વિશેની ખબરો વાંચી કંટાળી સમંતા

મુંબઈ, અભિનેત્રી સમંતા રુથ પ્રભુને હવે કોઈ ઓળકની જરુર નથી. અભિનેત્રી અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ યશોદાને કારણે ચર્ચામાં છે. આ થ્રિલર ફિલ્મની સ્ટોરી ટ્રેલર પરથી ઘણી રસપ્રદ જણાઈ રહી છે. પરંતુ સાથે જ તેના સ્વાસ્થ્યની પણ અત્યારે ખૂબ ચર્ચા થઈ રહી છે.

સમંતાએ પોતે જ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સને જાણકારી આપી હતી કે, માયોસાઈટિસ નામની દુર્લભ બીમારીનો શિકાર બની છે. ફેન્સ, મિત્રો અને પૂર્વ પતિના પરિવારે પણ સમંતાને વહેલી તકે રિકવર થઈ જાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

પરંતુ સમંતાની બીમારીને લગતી જાતજાતની અટકળો શરુ થઈ ગઈ હતી, જે અભિનેત્રીના ધ્યાને પડતા તેણે અમુક ચોખવટો કરી છે. સોમવારના રોજ સમંતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે લખ્યુ હતું કે તે અપકમિંગ ફિલ્મ યશોદાના પ્રમોશન માટે તૈયાર છે.

આ સાથે જ સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે પોતાના સ્વાસ્થ્યને લગતી વાત કરી રહી છે. ભાવુક થઈને સમંતા જણાવે છે કે, મેં મારી પોસ્ટમાં પણ લખ્યુ હતું કે, અમુક દિવસ સારા હોય છે અમુક ખરાબ હોય છે.

અમુક દિવસ એવા હોય જ્યારે એક પગલુ પણ ચાલવું મુશ્કેલ લાગતું હોય છે. પરંતુ હવે હું જ્યારે ભૂતકાળ તરફ નજર કરુ છું મને દેખાય છે કે હું ઘણી આગળ નીકળી ગઈ છું. હું લડવા માટે તૈયાર છું. આ જ ક્લિપમાં સમંતા જણાવી રહી છે કે, મારી બીમારી અત્યારે એ સ્ટેજમાં નથી પહોંચી કે તે જીવલેણ સાબિત થઈ શકે.

સમંતા કહે છે કે, હું એક બાબતનો ખુલાસો કરવા માંગુ છુ. મેં એવા ઘણાં બધા આર્ટિકલ્સ વાંચ્યા જેમાં મારી સ્થિતિને જીવલેણ કહેવામાં આવી છે. હું અત્યારે જે તબક્કામાં છુ તે જીવલેણ નથી. મારા જીવને કોઈ જાેખમ નથી. હું હજી મરી નથી.

મને નથી લાગતું કે આ પ્રકારની હેડલાઈનની કોઈ જરૂર હતી. ઉલ્લેખનીય છે કે યશોદા ફિલ્મમાં સમંતા એક સરોગેટ માતાના રોલમાં જાેવા મળશે.

તે પોતાના બાળકને બચાવવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છે. ફિલ્મનું ટ્રેલર થોડા સમય પહેલા જ રીલિઝ થયું છે અને તે જાેઈને લાગી રહ્યું છે કે, આ ફિલ્મ થ્રિલર અને એક્શનથી ભરપૂર હશે. સમંતાની સાથે આ ફિલ્મમાં સાઉથ ઈન્ડસ્ટ્રીના બીજા પણ ઘણાં કલાકારો જાેવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.