Western Times News

Gujarati News

જૂનાગઢના આ ગામમાં આ કારણે થઈ રહ્યો છે ચૂંટણીનો બહિષ્કાર

(એજન્સી)જૂનાગઢ, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો ગાંધીનગરની ગાદી મેળવવા એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે. જાેકે, બીજી તરફ અનેક જગ્યાએ પાયાની સુવિધાનો અભાવ હોવાથી વિરોધ થઇ રહ્યો છે.

ત્યારે જૂનાગઢના માળિયા તાલુકાના જંગર ગામ નજીક ચાર ડેમ હોવા છતાં ગામમાં ૨૨ વર્ષથી પાણીની સમસ્યા છે. જેને લઇને ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે. ગામમાં કોઈ રાજકીય પક્ષોએ પ્રવેશ કરવો નહીં. તેવાં લખાણો દીવાલો પર ઠાલવીને આક્રોશ ઠાલવ્યો છે.

છેલ્લાં ૨૨ વર્ષથી જંગર ગામલોકો સિંચાઈ પાણી માટે કેનાલની માંગણી કરતા આવ્યા છે, પરંતુ આટલાં વર્ષો વીતવા છતાં જંગરની જમીન બંજર જ છે. જે કારણે જંગલ ગામના લોકોએ સામૂહિક મતદાન કરવાનો બહિષ્કાર કર્યો છે. ગામની અંદર ૩૦૦૦ વીઘાથી વધુ વાવેતર માટેની જમીન આવેલી છે, પરંતુ સિંચાઈ પાણી અને કેનાલ ન બનાવતા રવી પાક પણ લઈ શકાતો નથી. જેથી ગ્રામજનો રોષે ભરાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.