Western Times News

Gujarati News

આમિરની દીકરી આઈરાએ બૉયફ્રેન્ડ સાથે કરી સગાઈ

મુંબઈ, બોલિવૂડ એક્ટર આમિર ખાનની દીકરી આઈરા ખાને મુંબઈમાં સગાઈ કરી લીધી છે. આઈરા ખાને તેના લાંબા સમયના બૉયફ્રેન્ડ નુપુર શિખારે સાથે સગાઈ કરી છે. આ ફંક્શનમાં આઈરા ખાન રેડ સ્વીટહાર્ટ ગાઉનમાં ખૂબ જ સુંદર જાેવા મળી.

જેમાં તે બૉયફ્રેન્ડ નુપુર શિખારે સાથે હાથમાં હાથ નાખીને ફરતી જાેવા મળી. આ ફંક્શનમાં આઈરા ખાનના પિતા એક્ટર આમિર ખાન તેમજ એક્ટર ઈમરાન ખાન, આમિર ખાનની પૂર્વ પત્ની રીના દત્ત અને કિરણ રાવ હાજર રહ્યા હતા. ત્યાં આમિર ખાનના માતા ઝીનત હુસૈન પણ હાજર રહ્યા હતા. લોકડાઉન દરમિયાન એવી ચર્ચા હતી કે આઈરા ખાન, ફિટનેસ ટ્રેનર નૂપુર શિખારેને ડેટ કરી રહી છે.

આઈરા ખાન અને નૂપુર લોકડાઉન દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. આઈરા, આમિર ખાન અને રીના દત્તાની દીકરી છે. ૨૦૧૯માં આઈરા ખાને એક નાટકનું ડાયરેક્શન કર્યું હતું. રિપોર્ટ પ્રમાણે, નૂપુર શિખારે ફિટનેસિઝમનો ફાઉન્ડર, ફિટનેસ એક્સપર્ટ અને કન્સલ્ટન્ટ છે. મીડિયા રિપોર્ટ મુજબ, આઈરા અને નૂપુર લોકડાઉન દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા.

આઈરાએ પોતાના બોડીની ફિટનેસ પર કામ કરવાનું શરૂ કર્યું ત્યારથી જ નૂપુર સાથે તેના સંબંધની શરૂઆત થઈ હતી. આઈરા ટેટૂ બનાવતા શીખી હતી અને તેણે પહેલું ટેટૂ પણ નૂપુરના હાથમાં બનાવ્યું હતું. આમિર ખાનની દીકરીએ પોતાના માતા-પિતાના ડિવોર્સના ૧૮ વર્ષ બાદ તેના પર ખુલીને વાત કરી હતી.

તેણે દાવો કર્યો હતો કે તેના માતા-પિતા વચ્ચે ભલે ડિવોર્સ થઈ ચૂક્યા હોય, પરંતુ તેમની ફેમિલી હજુપણ અકબંધ છે. ઈન્સ્ટાગ્રામ પર મૂકેલા એક વિડીયોમાં તેણે ડિપ્રેશનના મુદ્દા પર વાત કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે તે ડિપ્રેશનનું સાચું કારણ શોધી નહોતી શકી.

લોકો માનતા હશે કે માતા-પિતાના ડિવોર્સની અસર પડી હશે. જાેકે, આવું કંઈ હોવાનો પણ તેણે ઈન્કાર કરી દીધો હતો. ‘માતા-પિતાના ડિવોર્સ થયા ત્યારે હું ખૂબ નાની હતી. જેની મારા પર ખાસ અસર નહોતી પડી.

કારણકે, તેઓ છૂટા તો પડ્યા હતા, પરંતુ એકબીજા વચ્ચેનો સંબંધ નહોતો તોડ્યો. મારા માતા-પિતા આજે પણ એકબીજાના સારા મિત્રો છે, અને અમારું કુટુંબ ભાંગી નથી ગયું’, જુનૈદ અને મારું મમ્મી-પપ્પા ખૂબ જ ધ્યાન રાખે છે, ડિવોર્સ બાદ પણ તેમાં કશોય ફેર નથી પડ્યો.

જ્યારે કોઈ એમ કહે કે, ઓહ! તારા માતા-પિતાના ડિવોર્સ થયા છે! ત્યારે મને સાંભળીને આંચકો લાગે છે. ડિવોર્સ કોઈ ખરાબ વસ્તુ તો નથી. મારા માતા-પિતા એકબીજાના મિત્ર છે, જે મારા માટે પૂરતું છે.

ઉલ્લેખનીય છે કે, આમિરની દીકરી ડિપ્રેશનનો શિકાર બની હતી તેવું થોડા સમય પહેલા જ બહાર આવ્યું હતું. જાેકે, તેના ડિપ્રેશનને અને માતા-પિતાના ડિવોર્સને કોઈ લેવાદેવા ના હોવાનું સ્પષ્ટ કર્યું છે. આમિર ખાનના પહેલા લગ્ન રિના દત્તા સાથે થયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.