Western Times News

Gujarati News

શાહરુખ ખાનનું ઘર આવ્યું તો આયુષ્માન ખુરાના રોકાઈ ગયો

મુંબઈ, જાે કોઈ મુંબઈ ફરવા જાય તો ફરવાના અન્ય સ્થળોની સાથે સાથે બોલિવૂડ સ્ટાર્સનું ઘર જાેવા માટે પણ જતા હોય છે. શાહરુખ ખાન, સલમાન ખાન અને અમિતાભ બચ્ચનના ઘરની બહાર સામાન્યપણે ફેન્સ ઉભા જ રહેતા હોય છે. શાહરુખ ખાનના નિવાસસ્થાન મન્નતની બહાર તમે ગમે ત્યારે જાઓ તમને ફેન્સની ભીડ જાેવા મળશે.

મન્નતની બહાર આવીને લોકો શાહરુખ ખાન દેખાય કે ના દેખાય, નેમપ્લેટ સાથે ફોટો લઈને પણ ખુશ થઈ જાય છે. ફેન્સ તો ત્યાં રોકાય છે જ, પરંતુ ગઈકાલે એક સ્ટાર એક્ટર પણ જાેવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને તેઓ શાહરુખ ખાનની રાહ જાેઈ રહ્યા હતા, પણ તેમને ત્યાં જાેવા મળ્યો આયુષમાન ખુર્રાના. ફેન્સને પહેલા તો વિશ્વાસ ના થયો પરંતુ વાસ્તવમાં ત્યાં આયુષમાન ખુર્રાના હતો.

આયુષમાન ખુર્રાનાએ પોતે પણ આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આયુષમાન ખુર્રાનાને જાેઈને પણ લોકો ખુશ થઈ ગયા હતા. લોકોએ તેની પણ તસવીર લેવાનો પ્રયત્ન કર્યો. ઉલ્લેખનીય છે કે આયુષમાન ખુર્રાના પણ શાહરુખ ખાનનો મોટો ફેન છે. આયુષમાન ખુર્રાનાએ તસવીર સાથે એક કેપ્શન પણ લખ્યું છે. તેણે લખ્યું કે, મન્નત પાસેથી પસાર થઈ રહ્યો હતો તો એક મન્નત માંગી લીધી.

આ સાથે તેણે હેશટેગ પણ મૂક્યા- #AnActionHero #2ndDecember #SRKian. આયુષમાન ખુર્રાનાની પોસ્ટ પર ઈન્ડસ્ટ્રીના લોકો પણ કમેન્ટ કરી રહ્યા છે. ઝારા ખાને લખ્યું કે- ઉપરવાળો તમારી તમામ મન્નત પૂરી કરે. જિતેન્દ્ર કુમારે લખ્યું કે- મુંબઈનું ફેવરિટ સ્થળ. ઉલ્લેખનીય છે કે, આયુષમાન ખુર્રાના અને જયદીપ આહલાવતની ફિલ્મ એક્શન હીરો ટૂંક સમયમાં રીલિઝ થવાની છે.

આયુષમાન ખુર્રાના ફિલ્મને પ્રમોટ કરવામાં વ્યસ્ત છે. શાહરુખ ખાનની વાત કરીએ તો પાછલા ઘણાં સમયથી તેની ફિલ્મ રીલિઝ નથી થઈ. જાે કે બ્રહ્માસ્ત્ર, રોકેટ્રી જેવી ફિલ્મોમાં તેનો કેમિયો જાેવા મળ્યો હતો. હવે શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ રીલિઝ થવાની છે. આ સાથે જવાન ફિલ્મ પણ રીલિઝ થવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.