Western Times News

Gujarati News

વણઝારા ધાડી સમાજની એક દિવસીય યુવા ચિંતન શિબિર યોજાઇ

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરાના ઓરવાડા મુકામે ધાડી વણઝારા સમાજ ની વાર્ષિક યુવા ચિંતન શિબિર યોજાઇ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ધાડી વણઝારા ગુજરાત પ્રદેશ નાં જિલ્લા તથા તાલુકા ના અગ્રણી યુવાનો ની ચિંતન શિબિર યોજાતા ખૂબ સારી સંખ્યા માં યુવાનો જાેડાયા હતા આ ચિંતન શિબિર ગુરૂ શિવાનંદ જી આશ્રમ ખાતે રાખવામાં આવી હતી. આ મીટીંગનો હેતુ સમાજ ને એક કરવો અને ખાસ અગત્ય માં મુદ્દા પર ની ચર્ચા કરવામાં આવી હતી.

સમાજ માં શિક્ષણ આર્થિક સામાજિક ધાર્મિક ક્ષેત્રે યુવાનોને અગ્રતા અને નવા માધ્યમો અને સરકારી તથા પ્રાઇવેટ ક્ષેત્રે યુવાનોને નોકરી મળી રહે તેના માટેનાં મહત્વનાં હેતુ પર ચર્ચા કરવામાં આવી હતી. ધાડી વણઝારા સમાજ પોતાના ગૌરવશાળી ઇતિહાસ માટે જાણીતો તો પ્રાચીન સમયથી માંડીને અત્યાર સુધી ઘણા બધા એવા સંતો મહંતો બુદ્ધિજીવી થઈ ગયા જે ગર્વની બાબત છે.

ઉપરાંત યુવાનો પોતાની વાતો સમાજ સમક્ષ મૂકી હતી અને આવનાર વર્ષ માં સુ ર્નિણય અને નીતિ છે તે બાબતે ઊંડી ચર્ચા કરવામાં આવી હતી. વર્ષોથી સમાજ માં શિક્ષણ નું પ્રમાણ પણ ઊંચું આવ્યું હોવાથી જે યુવાનો શિક્ષણ ક્ષેત્રે સારો પ્રભાવ પાડે છે તેમને પણ સમ્માનિત કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી તથા યુવાનો માટે મહિને મીટીંગનું આયોજન કરીને સારું માર્ગ દર્શન અપાશે તેવું જાણવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.