Western Times News

Gujarati News

ઠાસરા પંથકમાં કમોસમી માવઠુ થતા ખેડૂતોમાં ચિંતાનુ મોજુ

(પ્રતિનિધિ)ડાકોર, યાત્રાધામ ડાકોર માં એકા એક વાતાવરણમાં પલટો આવતા વરસાદ થયોયાત્રાધામ ડાકોરમાં વહેલી સવારે મંગળા આરતી સમયે એકા એક વાતાવરણ માં પલટો આવતા વરસાદ પડતાં શ્રી રણછોડરાય મંદિરમાં ભાવિક ભક્તો અટવાઇ પડયા હતા સ્થાનિક લોકો રોજીંદા જીવનમાં છત્રી લઈને નીકળવાનો વારો આવ્યો હતો. ભર શિયાળે આષાઢી મહોલ સર્જાયો શિયાળું પાક ને પણ નુકસાન થવા પામશે તેવી ખેડુંત ભાઈઓને ચિન્તામાં વધારો.

હાલ ખેડુંત મિત્રોને પોતાની જમીનમાં પકવેલ શાકભાજીના ભાવ સાવ તળિયે બેસી ગયેલ છે જે ખેડુતો મજૂરી કામે મજૂર મગાવે છે તેમનો પણ રોજ નીકળતો નથી તેવામાં આ અચાનક વરસાદ વરસવા થી ખેડુંતો ને માથે આભ ફાટ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.