Western Times News

Gujarati News

દિવ્યાંકાએ કુદરતના ખોળે શાંતિથી ઉજવ્યો ૩૮મો બર્થ ડે

મુંબઈ, એક્ટ્રેસ દિવ્યાકાં ત્રિપાઠીની ગણતરી ટેલિવિઝન જગતની જાણીતી અભિનેત્રીઓમાં થાય છે. દિવ્યાંકાએ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં લાંબી મજલ કાપી છે. સીરિયલ ‘યે હૈ મોહબ્બતેં’માં ઈશિતાનું પાત્ર ભજવીને દિવ્યાંકાને ખૂબ પોપ્યુલારિટી મળી હતી.

દિવ્યાંકા ખાસ્સા સમયથી ટીવીના પડદાથી દૂર છે પરંતુ તે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સ સાથે જાેડાયેલી રહે છે. આજે એટલે કે ૧૪ ડિસેમ્બરે દિવ્યાંકાનો જન્મદિવસ છે ત્યારે તે પતિ વિવેક દહિયા સાથે કુદરતના ખોળે સમય વિતાવી રહી છે.

દિવ્યાંકા ત્રિપાઠી પોતાનો બર્થ ડે કુદરતના ખોળે શાંતિથી ઉજવવા માગતી હતી. એટલે જ તે પતિ સાથે કર્ણાટકના મદિકેરી પહોંચી ગઈ છે. અહીં પુસ્તકો વાંચીને, યોગ કરીને, તળાવના કિનારે આરામ કરીને દિવ્યાંકા પોતાનો સમય વિતાવી રહી છે. દિવ્યાંકા ત્રિપાઠીએ સુંદર તસવીરો શેર કરી છે.

જેમાં તે ખૂબ ખુશ દેખાઈ રહી છે. દિવ્યાંકાએ એક વિડીયો શેર કર્યો છે જેમાં તે અને વિવેક એક તળાવના કિનારે આરામ કરતાં જાેવા મળી રહ્યા છે. દિવ્યાંકાએ બીજી કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે પથ્થર પર બેઠેલી દેખાય છે. દિવ્યાંકાએ ટર્ટલ નેક સ્વેટ શર્ટ અને બ્લેક જેગિંસ પહેર્યું છે. આ તસવીરો શેર કરતાં તેણે લખ્યું, “આ જ રીતે હું મારી બર્થ ડેની શરૂઆત કરવા માગતી હતી.

બર્થ ડે પર દિવ્યાંકાએ પતિ સાથેની તસવીરો શેર કરી છે. જેમાં તે તળાવના કિનારે બેસીને કોફી પીતી અને પુસ્તક વાંચતી જાેવા મળે છે. દિવ્યાંકાએ તસવીરો શેર કરતાં લખ્યું, “કોફીનો કપ અને હંમેશા યાદ રહે તેવી યાદો. જણાવી દઈએ કે, દિવ્યાંકાએ દૂરદર્શનની એક ટેલિફિલ્મથી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું.

પછી તેણે આકાશવાણી માટે સો કર્યો હતો. ‘યે દિલ ચાહે મોર’ પછી દિવ્યાંકાને સીરિયલ ‘બનું મેં તેરી દુલ્હન’ મળી હતી. જેનાથી દિવ્યાંકા ઘરે-ઘરે જાણીતી થઈ હતી. દર્શકોએ શરદ મલ્હોત્રા સાથેની તેની જાેડીને ખૂબ પસંદ કરી હતી. જે બાદ તે સીરિયલ ‘યે હૈ મોહબ્બતેં’માં કરણ પટેલ સાથે જાેવા મળી હતી. આ શો થકી તેની પોપ્યુલારિટીમાં ઉછાળો આવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.