Western Times News

Gujarati News

માણાવદર ખાતે શાકોત્સવ તથા સત્સંગ સભા યોજાઈ

(પ્રતિનિધિ)માણાવદર, સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ શ્રી ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા દિવ્ય શાકોત્સવ તથા સત્સંગ સભા યોજાય સવારે ૯ઃ૦૦ થી ૧૨ સભા અને ત્યારબાદ બપોરે ૧૨ થી મહાપ્રસાદ પટેલ ચોકમાં આવેલ પટેલ સમાજ ખાતે રાખવામાં આવેલ હતો ધામે ધામ થી સંતો પધારીને પોતાની અમૃતવાણી નો લાભ આપ્યો હતો શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ માણાવદર દ્વારા આ ભવ્ય આયોજન કરાયું હતું

આ તકે માણાવદર પટેલ સમાજ ખાતે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીનું પ.પુ.૧૦૮ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ દ્વારા ધારાસભ્યનું પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી ની સાથે આવેલ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ દિલીપભાઈ જસાણી, માણાવદર નગરપાલિકાના સદસ્ય મેહુલભાઈ માણાવદરિયા, માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીગ્નેશભાઈ છૈયા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિજય ઝાટકિયા, સંદીપભાઈ મારડિયા વગેરેને પણ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.