Western Times News

Gujarati News

તુનિશા શર્મા ૨૧મા બર્થ ડેની ઉજવણી કરવા માટે ઉત્સુક હતી

મુંબઈ, ટીવી અને ફિલ્મ અભિનેત્રી તુનિશા શર્મા ૧૦ દિવસમાં ૨૧ વર્ષની થવાની છે. તે પોતાના જન્મદિવસ માટે ઘણી ઉત્સાહિત હતી. પરંતુ તે દિવસ આવે તે પહેલા તો તુનિશાએ જીવન ટૂંકાવી દીધું છે. તેણે અલી બાબા સીરિયલના સેટ પર ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

પરિવારના લોકો પર તો દુખનો પહાડ તૂટી પડ્યો છે, ફેન્સ અને મિત્રો પણ સ્તબ્ધ છે. તનિશાના કો-સ્ટાર્સ અને મિત્રો શોક વ્યક્ત કરી રહ્યા છે અને તેની સાથે જાેડાયેલી વાતો યાદ કરી રહ્યા છે. ટીવી અભિનેતા વિનીત રૈનાએ પણ તુનિશાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સાથે જ તેણે તનિશા સાથેની વાતચીતનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. અલી બાબા સીરિયલમાં વિનીત અને તનિશાએ સાથે કામ કર્યું છે.

વિનીતે ઈન્સ્ટાગ્રામ પર સ્ક્નશોટ શેર કર્યા છે જેમાં તનિશા સાથેની અંતિમ વાતચીત જણાઈ રહી છે. આ સાથે જ તેણે તનિશાની એક તસવીર પણ શેર કરી છે જે તેણે પોતે ક્લિક કરી હતી. ૨૦ વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહેનારી અભિનેત્રી તુનિશા ૪ જાન્યુઆરીના રોજ પોતાનો જન્મદિવસ ઉજવવાની હતી. ચેટમાં તે પોતાના જન્મદિવસ બાબતે ઉત્સાહિત જણાઈ રહી છે.

લખવામાં આવ્યું છે કે, જલ્દી આપણે મળીશું. આપણે કંઈક પ્લાન કરીએ. મારો જન્મદિવસ પણ આવી રહ્યો છે ત્યારે તો પાર્ટી થશે. વિનીતે તુનિશાની એક તસવીર શેર કરી છે જેમાં તે શાંતિથી સેટ પર બેઠી છે. અભિનેતાએ સાથે લખ્યું છે કે- આ તસવીર મેં ક્લિક કરી હતી.

મને નહોતી ખબર કે તે અંતિમ તસવીર હશે. તેં કહ્યુ હતું કે જ્યારે હું મુંબઈ આવીશ ત્યારે તુ મને મળીશ અને પછી આપણે તારા જન્મદિવસની ઉજવણી કરીશું અને તુ મારા માટે ગીત ગાઈશ. તેં આ સારુ નથી કર્યું. ઈશ્વર તારી આત્માને શાંતિ આપે. હું તને હંમેશા મારા દિલમાં રાખીશ. મુંબઈ પોલીસે તુનિશાના મિત્ર અને અલી બાબા સીરિયલના કો-સ્ટાર શીઝાન ખાનની ધરપકડ કરી છે.

અભિનેતા શીઝાન વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. તુનિશા અને શીઝાન રિલેશનશિપમાં હોવાની જાણકારી પણ સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તુનિશા અને શીઝાનનું બ્રેકઅપ થઈ ગયુ હતું, જેના કારણે તે પરેશાન હતી. અભિનેત્રી બ્રેકઅપની પીડા સહન નહોતી કરી શકી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.