સાબરમતી આશ્રમથી સાયકલ યાત્રા આમોદ પહોંચી
(પ્રતિનિધિ)ભરૂચ, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સાબરમતી આશ્રમથી નીકળેલી એન.સી.સી કેડેટ્સની સાયલક યાત્રા આજ રોજ આમોદ આવી પહોંચી હતી.તેમની સાથે દેશના આર્મી જવાનો પણ જાેડાયા હતા.સાયકલ યાત્રા દરમ્યાન આમોદ પોલીસ પણ સાથે રહી હતી.ગાંધીજીના આત્ર્માનિભરના મૂલ્યોને ચરિતાર્થ કરવા અને લોકો પણ આર્ત્મનિભર બને તેવા સુંદર સંદેશ સાથે સાબરમતી આશ્રમથી સાતમી જાન્યુઆરીએ નીકળેલી એન.સી.સી કેડેટ્સની સાયકલ યાત્રા આમોદ આવી પહોંચી હતી.
સાયકલ યાત્રા નાહીયેર ગુરુકુળ ખાતે રોકાયા બાદ ફરીથી આગળ ભરૂચ જવા માટે નીકળી હતી.ગાંધીજીએ જેમ મીઠાના કાયદાનો ભંગ કરવા માટે દાંડીયાત્રા કરી સત્યાગ્રહ કર્યો હતો તેમ એન.સી.સી કેડેટ્સ ધ્વારા આર્ત્મનિભર ભારતાના સૂત્ર સાથે સાયકલ યાત્રા કાઢવામાં આવી હતી.સાયકલ યાત્રા ધ્વારા આર્ત્મનિભર બનવા,દેશની એકતા બનાવી રાખવા તેમજ પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે સાયકલ યાત્રા નીકળી હતી.ભારતમાં જ ઉત્પાદિત વસ્તુઓનો ઉપયોગ કરી આર્ત્મનિભર બનાવવાનો સંદેશ આપ્યો હતો.