વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ખેડબ્રહ્મા તાલુકામાં ધાબળા વિતરણ કરાયા
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, તારીખ ૬- ૧ -૨૦૨૩ ને શુક્રવારના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા જિલ્લા દ્વારા વનવાસી વિસ્તારમાં શ્રી રંગ અવધૂત પરિવાર અને અભિરંગ યુવા સંગઠન અમદાવાદ ના સૌજન્યથી ૧૨૦૦ નંગ ગરમ ધાબળાનું વિતરણ ખેડબ્રહ્મા તાલુકાના ચાડા, કંથાપુરા, ધોળી, ગઢડા શામળાજી મંદિર, ઝાાઞવા પોણાઈ, બોડીયાનુ તળાવ બાવર કાંઠિયા સુકા આંબા બુબડીયા ના છાપરા નવા મોટા, ટેબડી, ટેબડા, દોતડ, દેેમતીથી કોટડા સુધીના મોટાભાગના ગામોમાં અંદાજે ૨૮ ગામોની અંદર બારસો ધાબરાનું વિતરણ જરૂરીયાત મંદ લોકોને કરવામાં આવ્યું.
આ કાર્યમાં અભિરંગ યુવા સંગઠન અમદાવાદ, વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા જિલ્લા ના સહ સેવા પ્રમુખ મણીભાઈ સુથાર, જિલ્લા સહમંત્રી પરેશભાઈ સોલંકી, વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા જિલ્લાના ધર્મ રક્ષકો સુરેશભાઈ, પ્રભુભાઈ, લુુકેશભાઇ દ્વારા ત્રણ ગાડીઓ માં રૂટ બનાવી ને કાર્યકર્તાઓની ત્રણ ટુકડી આ કાર્યમાં જાેડાઈ. સાથે હિંમતનગર જિલ્લાના નરેન્દ્રસિંહ બાપુ વિશ્વ હિન્દુ પરિષદ સાબરકાંઠા વિભાગ તરફથી ઉપસ્થિત રહ્યા હતા.