Western Times News

Gujarati News

અભિનેતા કાર્તિક આર્યનની શહઝાદાનું ટ્રેલર રિલીઝ

મુંબઈ, બોલિવૂડની અપકમિંગ ફિલ્મ શહઝાદાનું ટ્રેલર આવી ગયું છે. જે અલ્લુ અર્જુનની તેલુગુ ફિલ્મ Ala Vaikunthapurramulની રીમેક છે. ડિરેક્ટર રોહિત ધવનની આ ફિલ્મ શહઝાદામાં એક્ટર કાર્તિક આર્યન, ક્રિતિ સેનન, પરેશ રાવલ, મનીષા કોઈરાલા, રોનિત રોય મુખ્ય રોલમાં જાેવા મળશે.

શહઝાદા ફિલ્મ તારીખ ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૩ના દિવસે રિલીઝ થશે. આ ફિલ્મ ‘શહઝાદા’માં એક્ટર કાર્તિક આર્યન એક્શન પેક્ડ રોલમાં જાેવા મળી રહ્યો છે. એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાની અપકમિંગ ફિલ્મ મિશન મજનુનું ટ્રેલર આવી ગયું છે. મિશન મજનુ નામની આ સ્પાય થ્રિલર ફિલ્મના ડિરેક્ટર શાંતનુ બાગચી છે અને આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા રૉ ફીલ્ડ ઓફિસરના રોલમાં જાેવા મળશે.

મિશન મજનુમાં એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા સિવાય રશ્મિકા મંદાના, શરીબ હાશ્મી, ઝાકિર હુસૈન, કુમુદ મિશ્રા, અર્જન બાજવા અને રાજિત કપુર મહત્વના રોલમાં જાેવા મળશે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર તારીખ ૨૦ જાન્યુઆરી, ૨૦૨૩ના દિવસે રિલીઝ થશે.

ફિલ્મ છત્રીવાલીનું ટ્રેલર આવી ગયું છે. ‘છત્રીવાલી’માં રકુલપ્રીત સિંહ, સુમિત વ્યાસ, સતીશ કૌશિક, રાજેશ તૈલાંગ મુખ્ય રોલમાં જાેવા મળશે. ‘છત્રીવાલી’ના ડિરેક્ટર તેજસ દેઓસકર છે અને તે તારીખ ૨૦ જાન્યુઆરી, ૨૦૨૩ના દિવસે રિલીઝ થશે.

આ ફિલ્મમાં સેક્સ એજ્યુકેશન પર વાત કરવામાં આવી છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઢઈઈ૫ પર રિલીઝ થશે. ઉપહાર સિનેમા કાંડને કોણ ભૂલી શકે? ૨૬ વર્ષ પહેલા બનેલા ભયાનક દ્રશ્યના ઘા આજે પણ નામ પડતાં જ તાજા થઈ જાય છે. ૧૯૯૭માં ઉપહાર સિનેમામાં મોટી આગ ફાટી નીકળી હતી, જેમાં ૫૯ લોકો જીવતા બળી ગયા હતા અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.

આ ઘટના પર અભય દેઓલની સીરિઝ ટ્રાયલ બાય ફાયરનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જે નેટફ્લિક્સ પર તારીખ ૧૩ જાન્યુઆરીએ સ્ટ્રીમ કરવામાં આવશે. વિક્ટર મુખર્જીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ લકડબગ્ઘાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. તેમાં અંશુમન ઝા, રિદ્ધિ ડોગરા, મિલિંદ સોમણ અને પરેશ પાહુજા મુખ્ય ભૂમિકામાં છે. તારીખ ૧૩ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મમાં કૂતરાઓની ચોરીની વાત છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.