Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વ્યાજખોરોનો ત્રાસ અટકાવવા લોકોને માર્ગદર્શન આપવા અંગે કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ)મોડાસા, વિજયનગર તાલુકાના ચિઠોડા પોલીસ મથકે આજરોજ જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં વ્યાજખોરોનો ત્રાસ અટકાવવા લોકોને માર્ગદર્શન આપવા અંગે કાર્યક્રમ યોજાયો હતો.બજારમાંથી નાના વેપારીઓ, લારી ગલ્લા વાળા અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ ઝુંબેશના પગલે આજે જિલ્લા પોલીસ અધિક્ષક વિશાલકુમાર વાઘેલાની ઉપસ્થિતિમાં વ્યજખોરોના ત્રાસથી જનતાને મુક્ત કરવાના અભિયાન સંદર્ભમાં ચિઠોડા પોલીસ મથકે આ કાર્યક્રમ યોજાતા એનું સંચાલન પીએસઆઇ એમ.એચ.પ્રદીયાએ કર્યું હતું. વ્યજખોરોના કોઈપણ ત્રાસ અંગે અચૂક પોલીસને જાણ કરવા અનુરોધ કરી લોકોને વ્યજખોરોના ત્રાસથી મુક્ત થવા કાયદાનો સહારો લેવા ડીએસપી અને ઉપસ્થિત નાયબ પોલીસ વડા વગેરે એ અનુરોધ કર્યો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers