Western Times News

Gujarati News

રાજ્યભરની નોંધણી કચેરીઓ વધુ આધુનિક-ડિજિટલ બનાવાશે – મુખ્યમંત્રી

મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગર ખાતે નોંધણી સર નિરીક્ષક કચેરી અંતર્ગત વિવિધ ચાર પ્રકલ્પોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

(માહિતી) અમદાવાદ, વિવિધ દસ્તાવેજાેની નોંધણી કરાવવા આવતા રાજ્યના લાખો નાગરિકોને વધુ ઝડપી-પારદર્શક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્યભરની નોંધણી કચેરીઓ વધુ આધુનિક અને ટિજિટલ બનાવાશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા ડિજિટલ ભારત અભિયાન થકી આજે ભારતમાં ૪૦% થી વધુ વ્યવહાર ડિજિટલના માધ્યમથી થઈ રહ્યા છે જે ડિજિટલ ઇન્ડિયાની સફળતા દર્શાવે છે. અમેરિકામાં નોકરીઓ જઈ રહી છે જ્યારે ભારતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં યુવાનોને નોકરીઓ મળી રહે છે આ બદલાવ યોગ્ય અને સક્ષમ નેતૃત્વના પરિણામે આપણે અનુભવી રહ્યા છીએ તેમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતે આજે નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ અંતર્ગત સ્ટેમ્પ અને નોંધણી કચેરીનો લોગો, ન્યુ પેમેન્ટ ગેટ વે- GARVI 2.0™wt ICICI પેમેન્ટ ગેટ વે સાથે ઇન્ટીગ્રેશન, પેપરલેસ કચેરી તરફનું પગલું- દસ્તાવેજાેનું ડિજિટલ સ્વરૂપે સંગ્રહ અને બેકઅપ ઇન્ટરનેટ કનેક્ટિવિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી પટેલે રાજ્યભરની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાંથી આવેલા કર્મીઓ સાથે સંવાદ કરતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની કામગીરી અને તેમના કર્મીઓ સાથે રૂબરૂ મળવાના હેતુથી આ પ્રકારની પહેલ હાથ ધરવામાં આવી છે જેના થકી સરકારની કામગીરી વધુ સરળ રીતે લોકો સુધી પહોંચાડી શકાશે. ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી આપણા સૌની કામ કરવાની ક્ષમતામાં ખૂબ જ નોંધપાત્ર વધારો થયો છે અને નાગરિકોને ઘરે બેઠા ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે.

આ ચાર નવીન પ્રકલ્પોના લોકાર્પણથી રાજ્યભરની રજિસ્ટ્રાર-સ્ટેમ્પ કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીમાં વધુ ઝડપ- સરળતા, અવિરત ઇન્ટરનેટની સુવિધા, પારદર્શકતા તેમજ પેમેન્ટ રિફંડ કરવામાં પણ વધુ ઝડપ આવશે. આ સંદર્ભે વધુને વધુ પરિણામલક્ષી કામ થાય તે માટે આપણે સૌએ વધુ હકારાત્મક અભિગમ રાખીને લોકોની સેવા કરવી પડશે તેમ જણાવી મુખ્યમંત્રી શ્રીએ આ નવીન સેવાઓ શરૂ કરવા બદલ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રીશ્રીના હસ્તે આ પ્રસંગે નોંધણી વિભાગની કામગીરી તેમજ લક્ષ્યાંક રજૂ કરતું ‘ડિજિટલ ગુજરાત’ પુસ્તકનું વિમોચન તેમજ ખ્તછઇફૈં ૨.૦ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાનીએ કહ્યું હતું કે રાજ્ય સરકારના ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ના અભિગમ સાથે આ નવીન પ્રકલ્પોના અમલથી રાજ્યભરની ૨૮૭ સબ રજિસ્ટ્રાર કચેરીઓ અને ૩૧ સ્ટેમ્પ કચેરીઓમાં અનેકવિધ નવી સુવિધા ઉપલબ્ધ થશે.

જેના પરિણામે કામ કરવામા ખૂબ મોટો બદલાવ આવશે અને નાગરિકોને વધુ ઝડપી અને પારદર્શક સુવિધાઓ આપી શકાશે. આ પ્રકલ્પોના અમલથી કર્મયોગીઓ લેટેસ્ટ પરિપત્રો, નવા નિયમો, તાલીમ અને ટેકનોલોજીથી અવગત પણ થશે. નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ શ્રી જેનુ દેવને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપીને નવીન પ્રકલ્પોથી સૌને અવગત કર્યા હતા.

આ નવીન પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, દ્ગૈંઝ્રના અધિકારીઓ,ૈંઝ્રૈંઝ્રૈં બેંકના તેમજ રાજ્યભરની સબ રજિસ્ટ્રાર કચેરી અને સ્ટેમ્પ કચેરીના અધિકારી- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.