Western Times News

Gujarati News

દીકરો ગુમ થયો હોવાની ફરિયાદ કરનારી સગી માતા અને પિતરાઈ પ્રેમી દિયર જ નીકળ્યા હત્યારા

(પ્રતિનિધ) ભરૂચ, પોતાના પ્રેમીને પામવા માતાએ વિધવા બનવા સૌપ્રથમ પોતાના જ દીકરાને હટાવવાનો ખેલ રચી નાંખ્યો અને પોતાના પ્રેમી દિયરને બોલાવી દીકરાની હત્યા કરાવી પોતાના પતિની પણ હત્યા કરવાનું કાવતરું રચ્યું હતું.પરંતુ ૪ સંતાનની માતા પોતાના પતિની હત્યા કરે તે પહેલા જ પોલીસે અપહરણ અને હત્યાનો ભેદ ઉકેલી નાંખી પ્રેમી પંખીડા માતા અને પિતરાઈ દિયરને જેલ ભેગા કર્યા છે.

કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે તેમાં નથી ઉમર જાેવામાં આવતતી કે નથી રૂપ જાેવામાં આવતું.આવો જ એક કિસ્સો ભરૂચ જીલ્લાના અંકલેશ્વર પંથકના સારંગપુર વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય દંપતીના પરિવારમાં બન્યો છે.જેમાં ચાર સંતાનની માતાને પિતરાઈ દિયર સાથે આંખો મળી જતા પ્રેમ થઈ ગયો હતો અને બંને પ્રેમમાં એટલા ગળા ડૂબ થયા કે માતાએ પોતાના માસૂમ દીકરા અને પતિની હત્યા કરવાનું ષડયંત્ર રચી નાખ્યું.માતાએ પોતાના જ માસુમ ૧૩ વર્ષીય દીકરા ક્રિષ્નાનું પ્રેમી પિતરાઈ દિયર પાસે અપહરણ કરાવ્યું અને અપહરણ કરાવનાર સગી માતાએ જ દીકરો ગુમ થયો છે તેવી ફરિયાદ પોલીસ મથકે નોંધાવી હતી.

તારીખ ૨૩/૧/૨૦૨૩ના રોજ અંકલેશ્વર તાલુકાના સાળંગપુર વિસ્તારમાં આવેલા સોનમ સોસાયટીમાં રહેતા સત્ય પ્રકાશ યાદવનો ૧૩ વર્ષીય દીકરો ક્રિષ્ણા ગુમ થયો હોય તેવી ફરિયાદ અપહરણની નોંધાઈ હતી અને આ ગુનાની તપાસ પોલીસે જીણવટ ભરી રીતે શરૂ કરી હતી અને અપહરણ કરાયેલા ૧૩ વર્ષીય કિશોરની શોધખોર પોલીસ કરતી હતી.આરોપીઓએ પોલીસને ગુમરાહ કરવા ગુમ થયેલા કિશોરનો બે બાળકો સાથે ઝઘડો થયો હોવાની કહાની ઘડી હતી.પરંતુ આ કહાની પોલીસના ગળે ઉતરી ન હતી અને જે બે બાળકોની પૂછપરછ કરાઈ હતી.

તેમાં પોલીસને કોઈ કડી મળી ન હતી પરંતુ પોલીસને ગુમરાહ કરી ઉંધી દિશામાં તપાસ કરાવી પોલીસ સાચી દિશામાં તપાસ કરતી નથી તેવા આક્ષેપ કરનારા દીકરા ક્રિષ્નાની માતાની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડી હતી અને તેણે જ પોતાના જ દીકરાનું અપહરણ તેના પિતરાઈ દિયર પાસે કરાવી હત્યા કરાવી હોવાનું કબૂલ્યું હતું અને તેના પતિની પણ હત્યાનું ષડયંત્ર રચ્યું હોવાની કબુલાત કરી હતી અને તેના પિતરાઈ દિયર સાથે તેણીને પ્રેમ સંબંધ હોવાના કારણે બંને વચ્ચે કાંટા રૂપી પિતા પુત્રનું કાઢવા માટેનું ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું હતું.

દીકરાનું અપહરણ કરી હત્યા કરવાનું ષડયંત્ર રચનાર સગી માતા મમતાદેવી સત્યપ્રકાશ યાદવની ધરપકડ કરી બાળકનું અપહરણ કરનાર પિતરાઈ કાકા ભગવતસિંગ ઉર્ફે શૈલેન્દ્રસિંહ યાદવ બંનેની કડક પૂછપરછ કરતા તેઓએ બાળકનું અપહરણ કરી તેનું ગળું દબાવી ઝઘડિયા નજીક નદી કાંઠે કોઈ આવવા વાળું જગ્યાએ તેનો મૃતદેહ ફેંકી દીધો હોવાની કબુલાત કરી હતી.જેના પગલે પોલીસે આરોપીઓની કબુલાતના આધારે જે સ્થળે મૃદયનો નિકાલ કર્યો હતો ત્યાં તપાસ કરતા ૧૩ વર્ષીય ગુમ થયેલા કિશોરનો મૃતદેહ મળી આવતા પોલીસને સમગ્ર અપહરણ અને હત્યા પ્રકરણનો ભેદ ઉકેલવામાં સફળતા મળી ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.