Western Times News

Gujarati News

છત્તીસગઢના સૂરજપુરનો બનાવ: નશામાં ધૂત યુવકે પત્નીની કુહાડી મારી હત્યા કરી નાખી

નવી દિલ્હી, છત્તીસગઢના સૂરજપુરમાં નશામાં ધૂત યુવકે તેની પત્નીની કુહાડી મારી હત્યા કરી નાખી હતી. આરોપીએ પત્નીના ગળા પર કુહાડીથી એક પછી એક ત્રણ ઘા માર્યા હતા. જેના કારણે મહિલાનું માથું ધડથી અલગ થઈ ગયું હતું અને તેણીનું મૃત્યુ થયું હતું.

દરમિયાન વચ્ચે બચાવવા આવેલા ભાઈને પણ યુવકને માર મારી ઈજા પહોંચાડી હતી. પત્નીની હત્યા કર્યા બાદ પતિ ઘરેથી ભાગી ગયો હતો. જાેકે, પોલીસે આરોપીને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી. આ ઘટના સોમવારે રાત્રે જયનગર પોલીસ સ્ટેશન વિસ્તારના કારવાણ ગામમાં બની હતી. ૪૨ વર્ષીય પ્રાણસાય રાજવાડે સોમવારે રાત્રે નશામાં ધૂત થઈને ઘરે પહોંચ્યો હતો.

ઘરમાં તેની ૨૮ વર્ષીય પત્ની લાલોબાઈ સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. પ્રાણસાયની માતા પ્રેમકુમારીએ તેમનો ઝઘડો સાંભળ્યો હતો અને બંને વચ્ચેના ઝઘડાને શાંત પાડ્યો. આ પછી પ્રાણસાયસ જમ્યા બાદ પોતાના રૂમમાં ગયો હતો. થોડી વાર પછી પરિવારે લાલોબાઈની ચીસો સાંભળી હતી.

માતા પ્રેમાકુમારી અને પ્રાણસાયનો નાનો ભાઈ અર્જુન રૂમમાં પહોંચ્યા હતા. જ્યારે માતા અને ભાઈ રૂમમાં પહોંચ્યા ત્યારે તેઓએ જાેયું કે પ્રાણસાય તેની પત્ની પર કુહાડીથી હુમલો કરી રહ્યો હતો. તેણે તેની પત્નીના ગળા પર કુહાડીથી ત્રણ ઘા માર્યા હતા.

જેના કારણે માથું ધડથી અલગ થઈ ગયું હતું અને પત્ની લાલોબાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે ભાઈએ તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે પ્રાણસાયે તેના પર હુમલો કર્યો અને તેને ઈજા પહોંચાડી ઘરમાંથી ભાગી ગયો હતો. પરિવારજનોની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરિવારે પોલીસને આખી વાત જણાવી. મંગળવારે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી.

પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું કે જ્યારે પત્ની રૂમમાં આવી ત્યારે તેણે સેક્સ કરવાની ના પાડી દીધી. આ પછી મેં ગુસ્સે થઈને તેને મારી નાખી હતી. પોલીસનું કહેવું છે કે આરોપી પતિ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.