Western Times News

Gujarati News

AAPના દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાની ધરપકડ કયા કારણસર થઈ?

સીબીઆઈએ દારૂ કૌભાંડના કેસમાં ૮ કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરીઃ AAPના કાર્યકરોએ CBI કચેરી બહાર ઉગ્ર દેખાવો કર્યા, અનેક નેતા-કાર્યકરોની અટકાયત

નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાની શરાબ ઘોટાલાના કેસમાં સીબીઆઈએ ધરપકડ કરી છે. સીબીઆઈએ મનિષ સિસોદીયાને પૂછપરછ માટે બોલાવ્યાં હતા. ૮ કલાકની લંબાણપૂર્વકની પૂછપરછના અંતે તપાસનીશ એજન્સીએ તેમની ધરપકડ કરી હતી.

Deputy Chief Minister Manish Sisodia was arrested for what reason?

સીબીઆઈ સમક્ષ ઉપસ્થિત થતા પહેલા તેમણે માતાના આશીર્વાદ લીધા હતા. જ્યાંથી તેઓ રાજઘાટ ગયા હતા. અહીં તેમને રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીને નમન કર્યાં હતા. ઘરથી નિકળ્યા ત્યારે હસતા મોઢે તેમણે વિક્ટ્રીની સાઈન દર્શાવી હતી. મનિષ સિસોદીયા વિશાળ રોડ શો કરીને સીબીઆઈ કચેરી ગયા હતા. મનિષ સિસોદીયાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીએ ટ્‌વીટ કર્યું હતુંકે, આ લોકતંત્ર માટે કાળો દિવસ.

 

સીબીઆઈએ તેમની પૂછપરછ માટે સવાલોનો એક ડીટેલમાં સેટ તૈયાર કર્યો હતો. તેમજ સીબીઆઈ મુખ્યાલયની આસપાસ પોલીસે કલમ ૧૪૪ લાગુ કરી હતી. જેની જાણકારી પોલીસે બેનરો મારફતે આપી હતી. સીબીઆઈની પૂછપરછ પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સિસોદીયાની ધરપકડ થાય તેવી શકયતાઓ વ્યક્ત કરી હતી.

કેજરીવાલે ટ્‌વીટ કરીને કહ્યું હતું કે, ભગવાન તમારી સાથે છે મનિષ. લાખો બાળકો અને તેમના પરિવારજનોની પ્રાથના તમારી સાથે જ છે. જ્યારે આપ દેશ અને સમાજ માટે જેલ જાવ છો તો જેલ જનાર દુષણ નહીં પરંતુ ભુષણ હોય છે. ભગવાનને પ્રાથના કરું છું કે, તમે ઝડપથી જેલમાંથી બહાર આવશો, દિલ્હીના બાળકો-તેમના પરિવારજનો અને અમે તમારી રાહ જાેઈશું.

રિપોર્ટ્‌સ અનુસાર એક અધિકારીએ પૂછપરછ દરમિયાન સિસોદિયાનું નામ લીધું, જેના આધારે તેમની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. એક્સાઇઝ વિભાગના એક ૈંછજી અધિકારીએ પૂછપરછ દરમિયાન સિસોદિયાનું નામ લીધું હતું. અધિકારીએ કહ્યું હતું કે, સિસોદિયાએ એવી લીકર પોલીસી બનાવી હતી, જેનાથી સરકારને નફો ન થાય, વેપારીઓને મોટો ફાયદો થાય. આ નિવેદનના આધારે સિસોદિયાની પૂછપરછ કરવામાં આવી હતી.

સિસોદિયાની ધરપકડ પર આમ આદમી પાર્ટી તરફથી રાજ્યસભા સાંસદ સંજય સિંહે પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું- સિસોદિયાની ધરપકડ એ સરમુખત્યારશાહી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સિસોદીયા પૂછપરછ માટે જતા પહેલાં ટ્‌વીટ મારફતે કહ્યું હતું કે, હું આજે ફરી સીબીઆઈ ઓફિસ જઈ રહ્યો છું, હું સમગ્ર તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ.

લાખો બાળકોનો પ્રેમ અને કરોડો દેશવાસીઓના આશીર્વાદ મારી સાથે છે. જાે મારે થોડા મહિના જેલમાં રહેવું પડશે તો પણ મને વાંધો નથી. તેઓ ભગતસિંહના અનુયાયી છે, દેશ માટે ભગતસિંહ ફાંસીના માંચડે ચઢી ગયા હતા. આવા ખોટા આરોપોને કારણે જેલમાં જવું એ નાની વાત છે.

દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પહેલા રાજઘાટ ગયા હતા. ત્યારબાદ સવારે ૧૧ વાગે સીબીઆઈ ઓફિસે પહોંચ્યા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં આપના કાર્યકરો પણ પહોંચ્યા હતા.

કાર્યકરો કોઈપણ પ્રકારનો હોબાળો ન કરે અને તેમને રોકવા માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ શનિવારે મોડી રાત સુધી આ બાબત પર નજર રાખી રહ્યા હતા અને વ્યૂહરચના ઘડવામાં વ્યસ્ત હતા.

મનિષ સીસોદીયાની પૂછપરછ અને ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ સીબીઆઈ કચેરી નજીક દેખાવો કર્યાં હતા. દરમિયાન દેખાવો કરતા આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. જેમાં રાજ્યસભાના સાંસદ સંજય સિંહ અને કેબિનેટ મંત્રી ગોપાલ રાયનો સમાવેશ થાય છે.

આપના નેતાઓની અટકાયત મામલે દિલ્હી પોલીસે કહ્યું કે, સીબીઆઈ ઓફિસની આસપાસ કલમ ૧૪૪ લગાવી દેવામાં આવી હતી અને આ નેતાઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, જેના કારણે તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે પણ મનીષ સિસોદિયાની ધરપકડ પર કટાક્ષ કર્યો હતો. તેણે ટ્‌વીટ કર્યું હતું કે, ગાલિબ ગુનો કરીને ક્યાં જશો, આ જમીન-આકાશ બધું જ છછઁનું છે! આપના સાંસદ સંજય સિંહે મનીષ સિસોદિયાની ધરપકડને તાનાશાહી ગણાવી હતી.

તેમણે ટ્‌વીટ કર્યું કે, મનીષ સિસોદિયાની ધરપકડ તાનાશાહી છે. મોદીજી, તમે એક સારા વ્યક્તિ અને શ્રેષ્ઠ શિક્ષણ મંત્રીની ધરપકડ કરીને સારું કર્યું નથી, ભગવાન પણ તમને માફ નહીં કરે. એક દિવસ તમારી તાનાશાહી ચોક્કસપણે અંત આવશે મોદીજી.

બીજી તરફ બીજેપી નેતા કપિલ મિશ્રાએ કહ્યું છે કે, ‘આખરે મનીષ સિસોદિયાની પણ દારૂ કૌભાંડમાં ધરપકડ થઈ છે, દારૂના કારણે બરબાદ થયેલા પરિવારોની માતાઓ અને બહેનોની હાય મનીષ સિસોદિયાને લાગી છે, સત્યેન્દ્ર જૈન પછી કેજરીવાલના વધુ એક ભ્રષ્ટ મંત્રી જેલમાં ગયા.

હું શરૂઆતથી જ કહી રહ્યો છું કે કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેલમાં જશે. આમાંથી બે લોકો જેલમાં ગયા છે. હવે કેજરીવાલનો નંબર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.