Western Times News

Gujarati News

નારાયણસાંઈ પર રેપનો આરોપ લગાવનારી મહિલાના પતિ પર હુમલો કરનાર ઝડપાયો

અમદાવાદ,ગુજરાતના આતંકવાદી નિરોધક દસ્તેએ આસારામના પુત્ર પર બળાત્કારનો આરોપ લગાવનારી મહિલાના પતિ પર ૨૦૧૪માં કથિત રીતે હુમલો કરવાના આરોપના ભગેડુ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. એક અધિકારીએ આ અંગે જાણકારી આપી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીની મધ્ય પ્રદેશના શાજાપુરથી ધરપકડ કરવામાં આવી છે. પડોશી રાજ્યના સુસ્નેરમાં જેલમાં બંધ બાબાના આશ્રમમાં કામ કરનારા વ્યક્તિએ ૨૦૧૩માં આસારામના પુત્ર નારાયણ સાંઈ વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કરનારી મહિલાના પતિ પર કથિત રીતે હુમલો કર્યો હતો.

સાંઈ આ જ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે અને સુરત જેલમાં બંધ છે. અધિકારીએ જણાવ્યું કે, એટીએસને બાતમી મળી હતી કે, સુસ્નેરના આશ્રમમાં ગાયના આશ્રયમાં કામ કરતો વોન્ટેડ આરોપી ગાયનો ચારો લેવા માટે અકોડિયા જઈ રહ્યો છે.

તેઓએ જણાવ્યું હતું કે, આરોપી ફેબ્રુઆરી ૨૦૧૪ માં અમદાવાદના મોટેરામાં આસારામ આશ્રમનો હિસ્સો હતો, જ્યારે તેણે સુરતમાં કથિત રીતે પીડિતા પર તીક્ષ્ણ વસ્તુથી હુમલો કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.