Western Times News

Gujarati News

અભિનેત્રી Rakhi Sawant હવે ઉમરાહ કરવા માગે છે

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ રાખી સાવંત તેના અંગત જીવનના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. પતિ આદિલ ખાન દુર્રાની સાથેના તેના વિવાદની ખૂબ ચર્ચા થઈ હતી. હવે તે જીવનમાં આગળ વધી ગઈ છે. પોતાનું નવું ગીત રિલીઝ કર્યું અને દુબઈમાં એક્ટિંગ ટ્રેનિંગ સેન્ટર પણ ખોલ્યું. હવે તેણે ઈસ્લામ બાબતે મોટી વાત કહી છે. તેણે પોતાના દિલની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. Actress Rakhi Sawant now wants to perform Umrah

તે ઉમરાહ કરવા માગે છે અને રમઝાનમાં ઉપવાસ પણ કરશે. આ વીડિયોમાં રાખી સાવંત કહી રહી છે કે, હું ઉમરાહ પર જઈ શકું અને યોગ્ય રીતે ઉપવાસ કરી શકું. જેથી ભૂતકાળના તમામ પાપો ભૂલાઈ જાય. જાે હું ઉમરાહ માટે જાઉં તો રમઝાનમાં મારું નસીબ ખુલશે.

હું ઉપવાસ કરીશ, પાંચ વખત નમાઝ અદા કરીશ, હું એટલું જ કહું છું કે મારું જાેડાણ ઉપરવાળા સાથે છે. જાે તેમને લાગે કે હું દિલથી નમાઝ કરી રહી છું, ઇસ્લામનું નિષ્ઠાપૂર્વક પાલન કરું છું, તો મારા માટે ઉમરાહ માટે જવું ઠીક રહેશે. બધા કનેક્શન ઉપરથી બનાવાય છે.

 

View this post on Instagram

 

A post shared by FilmyKalakar (@filmykalakar)

થોડા દિવસો પહેલા રાખી સાવંતે એક વિડીયો શેર કર્યો હતો જેમાં તે સુંદર હિજાબ પહેરીને નમાઝ અદા કરી રહી છે. ક્લિપ શેર કરતાં રાખી સાવંતે લખ્યું- આદિલ, તેં મારી સાથે શું કર્યું અને લાગણી વ્યક્ત કરી. અહીં નોંધનીય છે કે આદિલ ખાન દુર્રાનીને ડેટ કર્યા બાદ એક્ટ્રેસ રાખી સાવંતે તેની સાથે લગ્ન કર્યા.

બંનેએ મે ૨૦૨૨માં કોર્ટ મેરેજ કર્યા હતા અને જાન્યુઆરી ૨૦૨૩માં તેનો ખુલાસો કર્યો હતો પરંતુ તે પછી જે થયું તે કોઈનાથી છુપાયેલું નથી. રાખીએ તેના પતિ પર એક પછી એક ગંભીર આરોપો લગાવ્યા છે. રાખી સાવંતે આદિલ પર મારપીટનો આરોપ લગાવતા કહ્યું કે પતિએ તેના પેટમાં એટલી જાેરથી લાત મારી કે પેશાબ નીકળી ગયો.

પાપારાઝી સાથે વાત કરતી વખતે રાખી ભાંગી પડી અને કહ્યું, આદિલે મારા પેટમાં લાત મારી. રડતી વખતે મારો પેશાબ નીકળી ગયો. આદિલે મને છોડી દીધી. જે સમયે મારી માતા અંતિમ શ્વાસ લઈ રહી હતી ત્યારે તે અન્ય યુવતી સાથે બેડ પર હતો.

રાખી સાવંતે કહ્યું કે જ્યારે આદિલ તેની ગર્લફ્રેન્ડ સાથે ઘરે આવ્યો ત્યારે તેના આખા શરીર પર લવ બાઈટના નિશાન હતા. રાખી સાવંત રડવા લાગી અને પછી બોલી, ‘આદિલે મને પાગલ કરી દીધી છે. ‘તેણે મારી માતાને મારી નાખી છે. જાે મારી માતાને સમયસર સારવાર મળી હોત તો કદાચ તે મૃત્યુ પામી ના હોત. હજુ કેટલો ત્રાસ આપીશ આદિલ? તે મને રોડ પર લાવી દીધી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.