Western Times News

Gujarati News

CBIના પૂર્વ ડાયરેક્ટર અને આંધ્રપ્રદેશના મંત્રી વિજયા રામા રાવનું નિધન

હૈદરાબાદ, અવિભાજિત આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મંત્રી અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના ભૂતપૂર્વ ડાયરેક્ટર કે. વિજયા રામા રાવનું ગઈકાલે રાત્રે સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ ૮૫ વર્ષના હતા. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે રાવને બપોરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સાંજે મનું નિધન થયું હતું.

કે. વિજયા રામા રાવ નિવૃત્તિ બાદ એન. ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની તેલુગુ દેશમ પાર્ટી સરકારમાં મંત્રી તરીકે સેવા આપી હતી. તેલંગાણા રાજ્યની રચના પછી તેઓ શાસક ભારત રાષ્ટ્ર સમિતિમાં જાેડાયા. Former CBI Director and Andhra Pradesh Minister Vijaya Rama Rao passes away

મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, નાયડુ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ એ રેવંત રેડ્ડી અને અન્ય નેતાઓએ વિજયરામ રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો મુખ્યમંત્રીએ અધિકારીઓને કે. વિજયા રામા રાવના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવા નિર્દેશ આપ્યો છે.તેમના અંતિમ સંસ્કાર કાલે કરાશે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.