Western Times News

Gujarati News

જરૂરિયાત મંદ બાળકોને ચપ્પલ વિતરણ કરાયાં

(પ્રતિનિધિ) મોડાસા, હિંમતનગરના સદવિચાર પરિવાર અને અમદાવાદના માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદ એવા ૬૫૦ બાળકોને ચપ્પલ વિતરણ કરાયાં હતાં.
સદવિચાર પરિવાર હિંમતનગરના સભ્યો ચૌધરી રામજીભાઈ ,ધુળાભાઈ પટેલ,લક્ષ્મણભાઈ પટેલ, કનકસિંહ ડોડીયા, ગોપાલભાઈ તથા અમદાવાદના માનવ કલ્યાણ ટ્રસ્ટના સભ્ય નરેન્દ્ર ભાઈ પ્રજાપતિ, અમો બધા ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુરા પ્રાથમિક શાળા તથા દાંતા તાલુકાની ગઢડા શામળાજી થી નકલંગ આશ્રમ રોડ થી માણેક ચંદની ગુફા સુધીની પ્રાથમિક શાળાઓ જેવી કે જીતપુર ગામની બે પ્રાથમિક શાળા તથા સોલસંડા પ્રાથમિક શાળા ના અનુસૂચિત જનજાતિના કુલ ૬૫૦ ગરીબ બાળકોને નવા ચંપલનું વિતરણ કરાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.