Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

નવસારી ખાતે GSRTCની 125 એસ.ટી. બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું

ગુજરાત રાજ્ય પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ્હસ્તે નવસારી ખાતે 125 એસ.ટી. બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ નવીન બસો દ્વારા મુસાફરોની સુવિધામાં અને સુગમતામાં વધારો થશે.
આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

એસ.ટી. નિગમના જણાવ્યા અનુસાર 2023ના આ ચાર મહિનાના સમયગાળામાં એસ.ટી. નિગમનાં નરોડા વર્કશોપ ખાતે તૈયાર થયેલી 500 જેટલી નવી સ્લિપર, લકઝરી અને મીની બસોનું લોકાર્પણ થઈ ચૂકયું છે. આ બસો રોડ ઉપર દોડીને મુસાફરોની સુખાકારી વધારી રહી છે.

નરોડા વર્કશોપ ખાતે હાલમાં પણ દર મહિને 90થી 95 જેટલા નવા વાહનો તૈયાર થઈ રહ્યા છે. હવે નવસારી ખાતે વધુ એક લોકાર્પણના કાર્યક્રમની તૈયારી નિગમે કરી હતી. 125 જેટલી લક્ઝરી, સ્લિપર, અને નવી મીની બસોનો લોકાર્પણ કાર્યક્રમ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં નવસારી ખાતે આગામી તા.29મી એ યોજાયો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર ખાતે નવનિર્મિત અત્યાધુનિક એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.

 

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers