Western Times News

Gujarati News

વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકનારા ડ્રાઈવરને સજા

રાજકોટ, મોરબી જિલ્લામાં ૨૦૧૭ના પૂર દરમિયાન માળીયા નજીકના વહેતા કોઝવે પર વાહન લઈને ૩૦ જેટલા શાળાના બાળકોના જીવને જાેખમમાં મુકવા બદલ બસ ચાલકને ત્રણ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. ઘટનાની વિગતો પર નજર કરીએ તો ૨૭ જુલાઈ ૨૦૧૭ના રોજ ડ્રાઈવર લાખા બોરીચા નીલકંઠ સ્કૂલની બસ લઈને કોઝવે પર આવી ગયો.

ગ્રામજનોની વારંવારની ચેતવણી છતાં તેણે બસ પાણીમાં ચલાવી. પરિણામે ધસમસતા પાણી અને અવિરત વરસાદને કારણે વાહન અટવાઈ ગયું અને આંશિક રીતે પલટી ગયું. બસ પલટતા જ બોરીચા બસ છોડીને ભાગવામાં સફળ રહ્યો હતો. મદદ માટે બૂમો પાડી રહેલા વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર લાવવા માટે સ્થાનિકોએ ભારે પ્રયાસો હાથ ધર્યા હતા. સેશન્સ જજ વીએ બુદ્ધે બોરીચાને IPC કલમ ૩૦૮ (દોષપૂર્ણ હત્યાનો પ્રયાસ), ૨૭૯ (રેશ ડ્રાઇવિંગ) અને મોટર વ્હીકલ એક્ટની કલમો હેઠળ દોષિત ઠેરવ્યો હતો.

પોલીસને આપેલા નિવેદનમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે તેઓએ બોરીચાને બાળકોના જીવને જાેખમમાં ન નાખવા ચેતવણી આપી હતી પરંતુ તેણે તેમની સલાહ પર ધ્યાન આપ્યું ન હતું.

આ સમગ્ર મામલે મદદનીશ સરકારી વકીલ સંજય દવેએ જણાવ્યું હતું કે, ‘બોરીચા જાણતો હતો કે પાણીનું સ્તર ઊંચું છે અને કોઝવે પર બસ લઈ જવી એ બાળકોના જીવ માટે જાેખમી છે. તેમ છતાં તેણે કોઝવે પર બસ ચલાવી. બસ અડધી પલટી જતાં તેણે પોતાનો જીવ બચાવ્યો અને વાહન ત્યાં જ છોડી દીધું. ફરિયાદ પક્ષે તેનો કેસ સાબિત કરવા માટે ૧૨ મૌખિક પુરાવા અને છ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.

દવેએ ઉમેર્યું હતું કે, આરોપીને ઉચ્ચ ફોરમમાં અપીલ દાખલ કરવા માટે કોર્ટે સજાના અમલ પર એક મહિના માટે રોક લગાવી હતી. ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને કલેક્ટરે સવારે ૪ઃ૩૦ વાગ્યે તમામ શાળાઓને બંધ રાખવાનો નિર્દેશ આપતા સંદેશા મોકલ્યા હતા.

આદેશનો અનાદર કરવા બદલ શાળાને શો-કોઝ નોટિસ પણ આપવામાં આવી હતી. બોરીચા સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી, જાે કે, તે જામીન પર બહાર હતો. હવે કોર્ટે તેને ૩ વર્ષની સજા ફટકારતા જલદી જેલભેગો કરી દેવાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.