Western Times News

Gujarati News

માલવ રાજદાએ શો છોડતાં પ્રિયાને પણ ભાવ આપવાનું બંધ કર્યું

મુંબઈ, કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા થોડા દિવસોથી એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રી બંસીવાલ અને પ્રોડ્યુસર આસિતકુમાર મોદી વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને ચર્ચામાં છે. આ સીરિયલમાં રિટા રિપોર્ટરનો રોલ કરનારી અભિનેત્રી પ્રિયા આહુજાએ હાલમાં જ આપેલા ઈન્ટરવ્યૂમાં ફરી એકવાર જેનિફર મિસ્ત્રીનો સપોર્ટ કર્યો છે. Malav Rajda also stopped appreciating Priya while leaving the show

પ્રિયાએ પુષ્ટિ કરી છે કે, શોના મેકર્સ દ્વારા જેનિફર પર જે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે તે પાયાવિહોણા છે. જેનિફર મિસ્ત્રીએ ક્યારેય સેટ પર ખરાબ વર્તન નથી કર્યું અને શિસ્તનો ભંગ કર્યો નથી. ઈન્ટરવ્યૂમાં પ્રિયા આહુજા અને તેના ડાયરેક્ટર પતિ માલવ રાજદાએ જેનિફરનો સપોર્ટ કર્યો છે. પ્રિયા આહુજાને સૌથી નવાઈની વાત તો એ લાગે છે કે, જેનિફરના શો છોડ્યા પછી કોઈ સાથી કલાકારે તેનો સાથ ના આપ્યો.

મને સૌથી વધુ નવાઈ એ વાતની લાગે છે કે, કોઈએ જેનિફરનો સાથ ના આપ્યો કારણકે સેટ પર જેનિફરના કેટલાય અંગત મિત્રો હતા. હું ડિપ્રેશનમાં હતી ત્યારે જેનિફરે મને સપોર્ટ કર્યો હતો. જેનિફરે મને મેડિટેશનમાં પણ મદદ કરી હતી. શરૂઆતમાં મને અને માલવને નિકટ લાવવામાં પણ જેનિફરનો ફાળો હતો.

જેનિફરે સેટ પર ક્યારેય કોઈની સાથે ખરાબ વર્તન નથી કર્યું અને શિસ્ત ભંગ નથી કરી. આ વાત હું ખાતરી સાથે કહી શકું છું”, તેમ પ્રિયાએ જણાવ્યું હતું. જાેકે, પ્રિયાના પતિ અને ૧૪ વર્ષ સુધી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ડાયરેક્ટર રહી ચૂકેલા માલવ રાજદાનું કંઈક જુદું જ કહેવું છે. માલવના કહેવા પ્રમાણે, તેણે ધાર્યું જ હતું કે, શોમાંથી કોઈ જ જેનિફરનો સાથ નહીં આપે અને તેવું જ થયું છે.

કોઈપણ સેટ પર પોતાના સંબંધો ખરાબ થાય તેમ ઈચ્છતું નથી અને એટલે જ તેમણે જેનિફર માટે અવાજ નથી ઉઠાવ્યો. “સેટ પરના એકપણ વ્યક્તિએ જેનિફરનો સાથ ના આપ્યો ત્યારે મને નવાઈ ના લાગી કારણકે ત્યાં કામ કરતાં લોકો પોતાનો સંબંધ ખરાબ થાય તેવું કંઈ નહીં કરે. પ્રિયા આહુજાએ એમ પણ જણાવ્યું કે, તેના પતિ માલવ રાજદાએ આ શો છોડ્યો પછી તેને સેટ પર બોલાવાઈ નહોતી.

પ્રિયાએ પોતાનું શૂટ આવશે કે નહીં તે પૂછવા માટે ફોન કર્યો તો પણ કોઈ જવાબ આપવામાં નહોતો આવ્યો. ઉલ્લેખનીય છે કે, જેનિફર મિસ્ત્રીએ શોના પ્રોડ્યુસર આસિતકુમાર મોદી, પ્રોજેક્ટ હેડ સોહિલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ પર શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ કર્યો છે. જેનિફરે આક્ષેપ કર્યા પછી બાવરીનો રોલ કરી ચૂકેલી મોનિકા ભદોરિયા અને પ્રિયા આહુજાનો તેને સાથ મળ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.