Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં ૯૫ તાલુકામાં વરસાદ ખાબક્યો

પ્રતિકાત્મક

અમદાવાદ, ચક્રવાત બિપરજાેયને લઈને ગુજરાતમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એવી આશંકા છે કે અરબી સમુદ્રમાંથી આવતું આ વાવાઝોડું થોડા દિવસોમાં ગુજરાતમાં લેન્ડફોલ કરશે. આ વાવાઝોડું ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે, જેની ચેતવણી હવામાન વિભાગ દ્વારા સતત આપવામાં આવી રહી છે.

વાવાઝોડાને પગલે ગુજરાતના અનેક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૯૫ તાલુકામાં વરસાદ પડ્યો છે. જ્યારે ૨૪ કલાકમાં રાજ્યના ૨૯ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ખંભાળીયા તાલુકામાં ૫ ઈંચ વરસાદ પડ્યો છે, દ્વારકા તાલુકામાં ચાર, તો કલ્યાણપુરમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે.

૧૪મી જૂને સૌરાષ્ટ્ર અને કચ્છના કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ સાથે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે.

થોડા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ સાથે વરસાદની તીવ્રતા વધશે અને કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે અને પોરબંદર, રાજકોટ, મોરબી અને કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડશે.

૧૫મી જૂનના રોજ ગુજરાતના જૂનાગઢ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાત પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ૧૬મી જૂને ઉત્તર ગુજરાત અને તેની નજીકના દક્ષિણ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ સાથે મોટાભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.