Western Times News

Gujarati News

ગુજરાતમાં કાતિલ ઠંડી પડશેઃ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે

File

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ક્યાંક હીમવર્ષા, ક્યાંક કાતિલ ઠંડી, તો ક્યાંક વરસાદ. પ્રશ્ન થાય એ થાય છે કે શું ખરેખર કુદરતી રૂઠી છે? દક્ષિણ ભારતમાં વરસાદ તો ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, ઉત્તરાખંડમાં ઉષ્ણતામાન ૧ર અંશ અને પર્વતો પર શરૂ થયેલા બરફનો એટેક. મોડો શરૂ થયેલ શિયાળો હવે ધીમે ધીમે તેનું વાસ્તવિક સ્વરૂપના દર્શન કરાવી રહ્યો છે. હવામાનના સુત્રો જણાવે છે કે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ઠંડી પડશે તથા સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે. ગ્લોબલ ગો‹મગને કારણે ઋતુઓનું ચક્ર પણ બદલાઈ ગયુ હોય એમ જણાય છે.

શહેરમાં પણ રાત્રીના સમયે ઠંડા પવનને લીધે ઠંડીની અસર જણાવા લાગી છે. રસ્તાઓ સુમસામ બની જાય છે. માત્ર ખાણીપીણીની બજારમાં જ થોડી ઘણી ભીડ જાવા મળે છે. ઠંડીને કારણે સૌથી વધારે સ્થિતિ  ફૂટપાથ તથા ઝુંપડામાં રહેતા લોકોની જાવા મળે છે. ઓઢવા ચાદર નહીં ને પાથરવા માટે પથારી. શહેરની કેટલીક સામાજીક સંસ્થાઓ તરફથી આવા લોકોને માટે ગરમ ધાબળા તથા ઓઢવા ચોરસાની વહેંચણીની વ્યવસ્થા થઈ રહી છે.


હજુ તો ઠંડીનું અસલ સ્વરૂપ જાવા મળ્યુ નથી. પરંતુ શરૂઆતની ઠંડીના ચમકારા આગામી દિવસોમાં ઠંડી કેવી કાતિલ હશે તેની ઝલક જાવા મળે છે. સવારની ગુલાબી ઠંડીમાં ફરવા જતા લોકોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો જાવા મળ્યો છે.. ગરમ સ્વેટર, ગરમ જર્સી, તથા ગરમ ટોપી પહેરીને જાગીંગ કરતાં લોકો તથા બગીચામાં રાઉન્ડ લેતા લોકો જાવા મળી રહ્યા છે. આરોગ્યની દ્રષ્ટીએ શિયાળો ઉતમમાં ઉત્તમ ગણાય છે. ધીમે ધીમે ઠંડી વધશે એમ હવામાન ખાતું જણાવે છે.

આજે સૌથી ઓછું તાપમાન નળીયામાં નોંધાયુ હોવાનું જાણવા મળે છે.  સૌરાષ્ટ્રમાં ર-૩ દિવસમાં કમોસમી વરસાદ પડવાની આગાહી સાથે નવલખી, ઘોઘા, જાફરાબાદ, પીપાવાવ, પોરબંદરના દરિયા કિનારે ૧ નંબરનું સિગ્નલ મુક્યુ છે.
અરબી સમુદ્રમાં લા-પ્રેશર થવાને કારણે આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, તથા સૌરાષ્ટ્રના કેટલાય ભાગમાં વરસાદની અસર જણાશે.

સાવચેતીના પગલાં રૂપે મેરી ટાઈમ બોર્ડે દ્વારકા- ઓખા સમુદ્રકિનારે ૧ નંબરનું સિગ્નલ લગાવ્યુ હતુ. દરિયો તોફાની બનતા માછીમારોને ચેતવણી આપવામાં આવી, ૭ તારીખ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સુચના આપવામાં આવી છે. અમરેલીમાં પણ હવામાન એકાએક પલટો આવતા જાફરાબાદ બંદરે ૧ નંબરનું સિગ્નલ લગાવાયુછ ે. માછીમારોની સેકડો બોટો દરિયામાં હોવાનું જાણવા મળે છે. કેશોદમાં વરસાદને કારણે ખેડૂતોને નુકશાન-માર્કેેટ યાર્ડમાં પડેલ મગફળીનો મોટો જથ્થો પલળી ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.