Western Times News

Gujarati News

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલનથી ૧૬ લોકોનાં મોત

મુંબઈ, મહારાષ્ટ્રમાં બુધવારે રાતે આ વર્ષની સૌથી મોટી કુદરતી આફત આવી પડી હતી. ૧૫ ઈંચ કરતાં વધારે વરસાદના કારણે થયેલા ભારે ભૂસ્ખલને રાયગઢ જિલ્લાના સહ્યાદ્રિ રેન્જના તલહટીમાં ઈરશાલવાડી નામના એક અંતરિયાળ આદિવાસી ગામને નષ્ટ કરી દીધું હતું. 16 people died in a landslide in Raigadh

પુણેથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની (એનડીઆરએફ) પાંચમા બટાલિયનની ચાર ટીમ પોતાના કમાન્ડિંગ ઓફિસર એબી સિંહના નેતૃત્વમાં અન્ય રાહત એન્જન્સીઓ સાથે ત્યાં રાહત-બચાવની કામગીરીમાં લાગી ગઈ છે. ગામમાં પહોંચવા માટેના રસ્તા પર તૂટી ગયા છે. બચાવકર્મીઓએ ૧૬ મૃતદેહને બહાર કાઢ્યા હતા અને આશરે ૧૦૦ લોકો ફસાયા હોવાની આશંકા છે. કર્જતની નજીકની ડુંગરાળ વસાહતમાં ૪૮ ઘર હતા અને ત્યાંના રહેવાસીઓ પશુપાલન તેમજ ખેતીકામ પર ર્નિભર હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ૮૮ ગ્રામજનો બચી ગયા હોવાનું માનવામાં આવે છે. તો કરજતના સબ ડિવિઝન ઓફિસર અજીત નૈરાલેએ જણાવ્યું હતું કે ‘૧૮ પરિવારના ઘરોને નુકસાન થયું છે અને અન્ય સાતને આંશિક રીતે નુકસાન થયું છે’. અવિરત વરસાદના કારણે બચાવ કાર્ય થોડા સમય માટે ધીમું પડી ગયું હતું અને ખોદકામ કરનારાઓને પહાડી સ્થળ પર લઈ જવામાં મુશ્કેલી પડી હતી.

સિંહે ઉમેર્યું હતું કે ‘ગુરુવારે સાંજે બચાવ કામગીરી બંધ કરવામાં આવી હતી અને શુક્રવારે સવારે ફરી શરૂ થશે. પહાડી વિસ્તાર અને ખરાબ હવામાનને જાેતા એરફોર્સના એરક્રાફ્ટનો ઉપયોગ કરીને ખોદકામ મશીનરનીને એરલિફ્ટ કરવાની કોઈ શક્યતા નથી. જેઓ ફસાયેલા છે તેવા પીડિતોના જીવિત રહેવાની શક્યતા ખૂબ ઓછી છે. ફસાયેલા લોકોનો ચોક્કસ આંકડો હજી અસ્પષ્ટ છે’.

૧૬ મૃતકોમાં ૧૨ પુખ્ત વયના અને ૪ બાળકોનો સમાવેશ થાય છે, જેમાંથી આઠ પુરુષ અને આઠ મહિલા છે. એનડીઆરએફની ટીમોએ ૨૧ ગ્રામજનો તેમજ એક બળદ સહિત કેટલાક પશુધનને બચાવ્યા હતા. મુખ્યમંત્રી એકનાથ શિંદે સ્થળ પર દોડી ગયા હતા અને બાદમાં ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારમાં જઈને તપાસ કરી હતી.

તેમણે કહ્યું હતું કે, વહીવટીતંત્ર ગુમ થયેલા તમામને શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગામના કેટલાક બાળકો સ્કૂલમાં હતા જ્યારે અન્ય કામથી બહાર હતા. તેમણે મૃતકના પરિવારજનો માટે પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી તો બચી ગયેલા લોકોને આશરો આપવાનું કહ્યું હતું.

એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘રાહત અને બચાવ અભિયાનના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ગામ ભૂસ્ખલન સંભવિત ગામના લિસ્ટમાં નહોતું. હવે અમારી પ્રાથમિકતા ફસાયેલા લોકોને બચાવવાની છે. આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને રાજ્ય સરકાર પ્રભાવિત લોકો સાથે છે. સતત વરસાદ થઈ રહ્યો છે અને કાટમાળનો ૨૦ ફૂટ ઊંચો ઢગલો થઈ ગયો છે. બચાવ કાર્ય માટે બે હેલિકોપ્ટર તૈનાત છે પરંતુ ખરાબ વાતાવરણના કારણે તે ઊડાન નથી ફરી શકતા’.

મહારાષ્ટ્રમાં વરસાદને લઈને આઈએમડીએ એલર્ટ જાહેર કર્યું છે. આઈએમડીએ શુક્રવાર માટે રાયગઢ, પુણે અને પાલઘર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ અને રત્નાગિરી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. વાતાવરણને જાેતા પાલઘરમાં શુક્રવારે તમામ સ્કૂલો બંધ રહેશે. વરસાદના રેડ એલર્ટને જાેતા જિલ્લાધિકારીએ આદેશ જાહેર કર્યો છે. મહારાષ્ટ્રમાં વરસાદના કારણે અત્યારસુધીમાં ૪૩ લોકોના મોત થયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.