Western Times News

Gujarati News

પિતાનું હ્દયરોગથી મોત થતાં આઘાતમાં પુત્રએ આપઘાત કર્યો

share broker suicide

પ્રતિકાત્મક

અંકલેશ્વર, મધ્યપ્રદેશના ઉજજૈનમાં મહાકાલેશ્વરના દર્શન કરી પરત ફરતા પિતાનું હદયરોગમાં મૃત્યુની જાણ થતાં ૧૬ વર્ષના પુત્રએ ચોથા માળેથી કુદી આત્મહત્યા કરી છે. પિતા અને જુવાન દીકરાની સ્મશાન યાત્રા એકસાથે નીકળતા અંકલેશ્વરમાં ગમગીની છવાઈ ગઈ હતી.

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ગણેશ પાર્કમાં રહેતા પટેલ પરિવારના મોચી મહાકલેશ્વર મહાદેવના દર્શન અર્થે ઉજજૈન ગયા હતા દર્શન કરી પરત ફરતા સમયે મધ્યપ્રદેશના થાંદલા ખાતે બસમાં જ તેમને હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજયું હતું.

પિતાની છત્રછાયા ગુમાવનાર ૧૬ વર્ષના પુત્રને પિતાના મૃત્યુના સમાચાર મળતા આઘાતમાં સરી પડેલા પુત્રએ પિતાના વિરહમાં ઘરની બાજુમાં આવેલી ચાર માળની બિલ્ડીંગ ઉપર પરથી પડતું મુકી જીવન ટુકાવ્યું હતું.

પિતા અને પુત્રની અર્થી એક સાથે નીકળતા આખું વાતાવરણ ગમગીન બની ગયું હતું મુળ ચાણસ્મા અને હાલ અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા સંજયકુમાર રમેશભાઈ પટેલ તેમના પરિવારમાં પત્ની સુરેખા મોટી દીકરી હેપ્પી અને નાનો દીકરો તેજ સુખી સંપન્ન પરિવાર હતું.

પાનોલીની પેસ્ટીસાઈડ ઈન્ડિયા કંપનીમાં ૧૪ વર્ષની નોકરી કરતા હતા. મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના થાંદલા તાલુકાના બસ સ્ટેન્ડમાં તેમને હદયરોગનો હુમલો આવતા મોત નીપજયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.