Western Times News

Gujarati News

માધવપુરામાં મોડી રાતે બુલેટ પર નીકળેલા યુવકની હત્યા

પ્રતિકાત્મક

(એજન્સી) અમદાવાદ, શહેરના માધવપુરા વિસ્તારમાં મોડી રાતે યુવકની છરીનાં ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી દેવાતાં ચકચાર મચી ગઈ છે. યુવક બુલેટ લઈને નીકળ્યો હતો ત્યારે કેટલાક શખ્સો તેની પાસે આવ્યા હતા અને આડેધડ છરીના ઘા ઝીંકીને તેને મોતને ઘાટ ઉતારી દીધો છે.

આ ઘટનાને લઈને ખુદ પોલીસ કમિશનર જી.એસ. મલિક પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ સુત્રોનાં જણાવ્યા અનુસાર દારૂના ધંધાને લઈને આ હત્યા કરાઈ હોવાની આશંકા છે. જયારે પોલીસે હત્યાકાંડમાં સંડોવાયેલા તમામ આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ સુત્રોનાં જણાવ્યા અનુસાર માધવપુરા વિસ્તારમાં આવેલા ઠાકોરવાસમાં રહેતો કૃણાલ ઠાકોર નામનો ૧૯ વર્ષનો યુવક ગઈકાલે મોડી રાતે બુલેટ લઈને આંટો મારવા માટે ગયો હતો. કૃણાલ માધવપુરા વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલ નજીક પાન પાર્લર પાસે ઉભો હતો

ત્યારે જુની અદાવત રાખીને સાતેક લોકો તેની પાસે આવ્યા હતા અને તેના પર આડેધડ છરીના ઘા ઝીંકવા લાગ્યા હતા. છરીના ઘા વાગતાંની સાથે જ લોહીથી લથપથ કૃણાલ જમીન પર ઢળી પડયો હતો જયાં તેનું મોત થયું હુતં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.