Western Times News

Gujarati News

અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીનું સ્વચ્છતા શ્રમદાન

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને અમિત શાહ ઉપરાંત રાજયના અનેક લોકોએ શ્રમદાન કર્યું

(એજન્સી)અમદાવાદ, મહાત્મા ગાંધીની ૧૫૪મી જન્મજયંતિ પહેલા આજે દેશભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઘણા મોટા નેતાઓએ શ્રમદાન કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો.

સપ્ટેમ્બરના મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને ૧ ઓક્ટોબરના રોજ સવારે ૧૦ વાગ્યાથી એક કલાક માટે સ્વચ્છતા માટે શ્રમદાન કરવાની અપીલ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર આજે દેશભરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ શરૂ થયો હતો. જેને લઈને આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં રાણીપ એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે ‘એક તારીખ-એક કલાક’ મંત્ર સાથે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ‘

સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જાેડાયા હતા, તેઓએ રાણીપ એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે સાફ-સફાઈ કરી હતી.

આજે દેશભરમાં સ્વચ્છતા હેતુ શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્વચ્છતા માટે એક કલાક શ્રમદાન કરી મહાત્મા ગાંધીને સ્વચ્છાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયામાં શ્રમદાન કર્યું હતું.

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પણ જાેડાયા હતા. નાનપુરા નાવડી ઓવારા ખાતે સી.આર.પાટીલે શ્રમદાન કર્યુ હતું, તેઓની સાથે સુરતના ધારાસભ્યો પણ શ્રમદાન અભિયાનમાં જાેડાયા હતા. આ દરમિયાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

નાગરિકોને સાથે રાખીને સફાઈ ઝુંબેશ ચાલી રહી છે. મહાત્મા ગાંધીજીનો સફાઈ માટે આગ્રહ હતો. સુરત શહેરમાં ૬૦ જગ્યાાએ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.