Western Times News

Gujarati News

દિલ્હીમાં આગઃ બુમો પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફેકટરીના માલિકોએ અમારો અવાજ દબાવી દીધો

(એજન્સી) નવીદિલ્હી, જીવન માટેના સંભવિત જાખમો અને ખતરનાક પરિÂસ્થતિઓ વિશે જાગૃત હોવા છતાં, ભ્રષ્ટાચાર અને શÂક્તઓનો ડર’ એ પાડોશીઓને એલાર્મ વધારતા અટકાવ્યો હતો. જે સંભવતઃ અનાજ મંડીની આગને ટાળી શકાયો હોત અને લોકોએ જીવ બચાવી શકાયો હોત. આઈએએન એસ સાથે વાત કરતા એક પાડોશના રહેવાસીએ કહ્યુ. ‘અમે ફેકટરી માલિકોને એલાર્મ વગાડવાનું કહ્યુ, પરંતુ અમારા મોં ધમકી આપીને બંધ કરી દેવામાં આવ્યા હતા. આગની બીજી ઘટના અહીં કેટલાંક દિવસો પહેલાં બની હતી. ત્રણ-ચાર લોકોના મોત નિપજ્યા હતા. પરંતુ ધમકીઓ અને લાંચ આપીને તેને કાર્પેટ નીચે ધકેલી દેવામાં આવી હતી. ફકટરીની પાછળના મકાનમાં રહેતા એક રપ વર્ષીય વૃધ્ધાએ જણાવ્યુ હતુ.

અન્ય એક પાડોશીએ જણાવ્યુ હતુ કે ‘આગ જેવી ઘટનાઓ ઉપરાંત આ એકમોમાં કામ કરતા લોકો ઘાયલ પણ થાય છે. નાના બાળકોને પણ રોજગાર અપાય છે. પરંતુ અધિકારીઓએ બહેરા કાન કર્યા છે. અને તેની આંખો બંધ કરી દીધી હોવાથી કંઈ બનતું નથી. શરૂઆતમાં ફોરેÂન્સક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) ની ટીમે ગુનાના સ્થળે તપાસ કરવા અને પુરાવા એકત્રિત કરવા સ્થળની મુલાકાત લીધી હતી. રવિવારે વહેલી સવારે કારખાનામાં લાગેલી આગમાં ૩૩ લોકોના મોત નિપજ્યા હતા. પોલીસે કારખાનાના માલિકો અને અન્ય લોકો સામે ભારતીય દંડ સંહિતાની કલમ (આઈપીસી) ની કલમ ૩૦૪ હેઠળ પ્રથમ માહિતી અહેવાલ (એફઆઈઆર) નોંધી છે.

અને આ કેસમાં બિલ્ડીંગના માલિક રેહાન સહિત બે લોકોની ધરપકડ કરી છે. દિલ્હી કેસના એડીશ્નલ પીઆરઓ અનિલ મિત્તલે કહ્યુ હતુ કે આ કેસ ક્રાઈમ બ્રાંચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. સોમવારે બંન્ને આરોપીઓને દિલ્હીની કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જેણે તેમને ૧૪ દિવસના પોલીસ કસ્ટડીમાં રાખવાનં કહ્યુ હતુ. પોલીસે કોર્ટને જણાવ્યુ હતુ કે ઘણા મૃતકોની ઓળખ હજુ બાકી છે અને તે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યુ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.